SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ છે, જે સવિકલ્પ કહેવાય છે. નિરાકાર : જે બોધ ગ્રાહી વિષયને સામાન્યરૂપે જાણે તે નિરાકારને દર્શન કહેવાય છે. તે નિર્વિકલ્પ બોધ છે. સાકાર ઉપયોગના જ્ઞાનના પાંચભેદ છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ, અને કેવળજ્ઞાન. કેવળજ્ઞાન પૂર્ણ અને અખંડ છે. દર્શનના ચક્ષુ, અચા, અવધિ અને કેવળ આદિ ભેદ છે. કેવળદર્શન પૂર્ણ વિકસિત છે. સમ્યકત્વ સાથેનો બોધ જ્ઞાનરૂપ છે. સમ્યકત્વ રહિત બોધ અજ્ઞાન છે. જીવના ભાવ : જીવ ભાવાત્મક તત્ત્વ છે. તે ભાવ કેવળ સ્વભાવ છે. પરંતુ સંસારી જીવના જેટલા વિકલ્પો તેટલા ભાવો છે. શાસ્ત્રોકતપણે તેના મુખ્ય પાંચ ભાવો છે તેમાં ચાર કર્મ સાપેક્ષ છે. (૧) ઔદાયિક (૨) પારિણામિક (૩) ઔપશમિક (૪) ક્ષાયોપથમિક (૫) ક્ષાયિક. (૧) ઔદાયિક ભાવ : કર્મના ઉદયાધીન ભાવ થવા તે ઔદાયિકભાવ છે. જે એક પ્રકારની જીવની મલિન અવસ્થા છે. જેને કારણે જીવ કર્મની પરંપરા પામે છે. સંસારી જીવમાત્રને આ ભાવ પ્રધાનતાથી હોય છે. પારિણામિક ભાવ: તે દ્રવ્યના અસ્તિત્વથી જાતે જ ઉત્પન્ન થાય છે. આત્મદ્રવ્યનું સ્વાભાવિક નિમિત્ત રહિત પરિણમન કે જેમાં કંઈ ફેરફાર થતો નથી, જેમકે ચેતન ચેતન રૂપે જ પરિણમે જડરૂપે પરિણમે નહિ. તેના ત્રણ ભેદ છે. જીવત્વ, ભવ્ય અને અભિવ્યત્વ. જીવ કયારે પણ જડરૂપે પરિણમે નહિ ભવ્ય ગમે તેટલો કાળ સંસારમાં રહે તો પણ અભવ્યરૂપે પરિણમે નહિ. અભવ્ય ગમે તેટલું ચારિત્ર પાળે તો પણ ભવ્યરૂપે પરિણમે નહિ એને પરિણામિક ભાવ કહેવાય છે. આ ભાવ કર્મ સાપેક્ષ નથી. સાધકે સ્વભાવરૂપ પારિણામિક ભાવની શુદ્ધતાનું લક્ષ્ય કરી સાધના કરવી જોઈએ જે સ્વરૂપ પ્રાપ્તિનો મુખ્ય હેતુ છે. વળી કોઈ પણ દ્રવ્યનું સ્વરૂપ પરિણમન જ પારિણામિક ભાવ છે. ઔપશમિક ભાવઃ કર્મોના ઉપશમ (દબાવા)થી જીવને જે ગુણની પ્રાપ્તિ થાય તે એક પ્રકારની આત્મવિશુદ્ધિ છે, તે ઔપથમિકભાવ છે. જેમાં પ્રદેશોદય (ઉદયમાં નહિ આવેલા) અને વિપાકોદય (ઉદયજનિત) બંને પ્રકારના કર્મોદય અટકી જાય છે. તે પથમિકભાવ તેનો કાળ (૨) પ્રશમરતિ Jain Education International ૧૪૯ For Private & Personal Use Only જીવના ભેદ પ્રભેદ www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy