SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનના આગમોમાં સારભૂત વસ્તુઓનો મહાસંગ્રહ છે. વળી સાધુ તો આગમ ચક્ષુવાળો છે, અંતરીક્ષ વાળો છે. યદ્યપિ અનાદિના સંસ્કાર ભૂસવા પ્રયોજનભૂત ઉપાય કરવા જરૂરી છે. એકાંતમાં પણ એ સંસ્કાર તો સાથે જ રહે છે છતાં તે આત્મસ્વભાવના નથી. દૂર કરવાથી જાય તેવા સંયોગિક છે. વળી આ ઉપાયો અનેકવિધ છે. ગ્રંથકાર કહે છે કે સાધુનો આત્મા જ્ઞાન-દર્શન-ચારિત્ર-રત્નત્રયયુકત છે રત્નત્રયીરૂપ આત્મા જ દેહાવગાહન છે. તે રત્નત્રય આત્માથી જુદા હોય તો મુક્તિનું સાધન-ધ્યેય ન બને. આ રત્નત્રય શું છે? જે આત્મા મોહનો ત્યાગથી આત્મામાં આત્મા વડે આત્માના સ્વરૂપને જાણે છે તે આત્મજ્ઞાન જ આત્માના દર્શન-જ્ઞાનચારિત્ર છે. આમ આત્મસ્વરૂપનો જ્ઞાતા થયેલો સાધુ જીવ સાથે જોડાયેલા કર્મોને સમભાવથી જુદા કરે છે. જે સાધુને ચેતન અચેતન પદાર્થોમાં ઈનિઝ બુદ્ધિ નથી તે સામ્યભાવે રહે છે. આ સામ્યભાવ અમૃત છે. સાધુ આત્મસંવેધ રસરૂપ સામ્યામૃતનું પાન કરે છે. હે મુનિ ! પૂર્ણતા પામતા સુધી સામ્યભાવને ટકાવવા વૈરાગ્યની જનની બારભાવનાનું નિરંતર અનુપ્રેક્ષણ કરવું. સાધુતા વૈરાગ્યથી વિકસે છે. નિરંતર આત્મગુણનો અભ્યાસી સાધુ લોક સંપર્કથી દૂર રહે છે. સાધુ જગતના મોહમય, વિચિત્ર પ્રકારોના દૃશ્યો જોવા માટે અંધ છે. વળી જગતના જડચેતન કોઈ પદાર્થોના રાગાદિ ભાવ વડે ગુણદોષ બોલવા માટે મૂંગા છે. વળી જગતના પૌલિક પદાર્થોના વર્ણન સાંભળવા બધિર છે. એમ શાસ્ત્રકાર જણાવે છે. હે મુનિ ! સાધુપણું એટલે સિદ્ધત્વ પ્રગટ કરવાનો અનુપમ લહાવો છે. પૂર્ણ સુખ પામવાનો અવસર છે. અનાદિકાળથી જીવે જગતના પ્રપંચો જોયા, જીભ મળી ત્યારે કેટલાયે પ્રલાપ કર્યા. હર્ષ શોક કર્યા હવે તે બોધ પામ્યો કે આત્માની શુદ્ધસત્તા પામવા માટે આ સર્વે નિરર્થક છે તેથી હવે સાધુ આત્મગુણોમાં લીન બને છે. આવા મહાત્માઓ વૈરાગી છે. આવા મહાત્માઓને મદ સ્પર્શતો નથી, કામવાસના સતાવતી નથી, મોહનીય કર્મ પજવતું નથી, મત્સર ઉઠતો નથી, રાગની મીઠાશ કે દ્વેષની વાશ જાણતા નથી, તેઓ નિરંતર અનાકૂળ છે. ગ્રંથકારે આ પ્રકારે સાધુતાનું અનુપમ સ્વરૂપ જણાવ્યું છે. સાધકે પણ ગૌણપણે આજ આચારાદિનું લક્ષ્ય સાધ્ય કરવાનું છે. પ્રશમરતિ ૧૪૧ પ્રવજયા www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy