SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ છુટયું છે તેવો અપવાદ પણ સેવવો નથી. સાધુતા વડે સિદ્ધિ પ્રાપ્ત કરી સિધ્ધત્વ મેળવવાનું છે. સાધુના આહારાદિ ગ્રહણમાં એજ ભાવના કે સ્વસ્થ શરીરનો સંયમધર્મમાં સાથ લેવો છે. શુદ્ધધર્મનું પાલન કરવું છે. આત્માની રક્ષા કરવી છે. પ્રશમતિ એટલે ઝળહળતાં વૈરાગ્ય મોક્ષની નિકટતા અનુભવતા મુનિ. તેઓ જગતનું વિષમ સ્વરૂપ જાણે છે. દેહાદિના નિભાવ માટે લોકસંપર્ક કરવા છતાં તે કાજળની કોટડીમાં લેપાતા નથી. કાદવમાંથી માટી અને પાણીની સ્વચ્છતા ગ્રહણ કરી કમળનું સૌંદર્ય કેવી રીતે ખીલે છે ? મુનિને દેહાદિનો સંયોગ છે. તેને સાધન માની તેમાંથી સ્વની ભિન્નતા દેઢ કરી મુનિ સ્વરૂપાનંદમાં ઝૂલે છે. ત્યારે સ્વરૂપ સૌંદર્ય ખીલે છે. મુનિ તો નિગ્રંથ છે. જ્ઞાનાવરણાદિ આઠ કર્મ, ભવભ્રમણનું કારણ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગો સાથે જેમની તદ્રુપતા નથી. અર્થાત રાગ દ્વેષની ગ્રંથિથી મુનિ મુક્ત છે. દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ સંયોગ છે પરંતુ તેમાં કર્તાભાવ નથી તેથી મુનિ નિગ્રંથ છે. નિગ્રંથ મહાત્મા મહા વિવેકી છે. જ્ઞાન, ધ્યાન, તપ, મહાવ્રતની વૃદ્ધિ માટે સતત પ્રયત્નશીલ છે. દોષોને દૂર કરે અને આત્મગુણની વૃદ્ધિ કરે. પરિષહો પર તેમનો સંયમ છે. પરિષહજય તે તેમનો સ્વાભાવિક જીવન ક્રમ છે. જ્ઞાન ધ્યાનાદિમાં સહાયક વસ્તુ કલ્પ્ય છે, તેને બાધક અંતરબાહ્ય વસ્તુ મુનિને ત્યાજય છે. પરદ્રવ્ય, પરપૌદ્ગલિક પદાર્થોમાં રાગ કે દ્વેષથી તેઓ દૂર રહી મોક્ષયાત્રામાં પ્રગતિ કરે છે. ભોજન, વસ્ત્ર, પાત્ર, વસ્તી, ઔષધ વગેરેની નિર્દોષતા જાળવે છે. કલ્પ્ય કે અકલ્પ્યનો વિચાર કરી તેનો ઉપયોગ રાખે છે. આરાધનાને બાધક હોય તો પણ અનુકૂળતાનો રાગ ત્યજી તે વસ્તુઓને ત્યજી દે છે. મુનિ મોક્ષમાર્ગે જવા નીકળ્યા છે ત્યાં અંશ માત્ર રાગાદિનો ભાવ યાત્રાને પૂર્ણ થવા દે નહિ, તેથી તેઓ જાગૃત છે. પૂર્ણતા, મોક્ષ, સ્વરૂપ પ્રાપ્તિ પામતા પહેલા મુનિરાજે, સાધકે કાંટાળી કેડી કંડારવાની છે કેમકે સંસારના સુખ, અનુકૂળતાઓ અને સમૃદ્ધિની છોળો કરતા આ તો અલૌકિક માર્ગ છે. એટલે બંનેના હેતુઓ જુદા જ રહેવાના. મોક્ષમાર્ગે દેહ, દેહભાવ ઈત્યાદિને જતા કરીને જ્ઞાનાદિ ગુણો અને સ્વરૂપનિષ્ઠા કેળવવાની છે. પ્રશમતિ Jain Education International ૧૪૦ For Private & Personal Use Only પ્રવજયા www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy