SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ ભૂલ થઈ કે ચેતવું, એજ ખરો ઉપાય; ભૂલ્યા ત્યાંથી ફરી ગણે, જેથી ભૂલ જણાય. સુશ્રાવક કિશનલાલજી અહિંની પેઢીની વ્યવસ્થા ખૂબ જ ખંત તથા લાગણીથી કરી રહ્યાં છે. જેથી આ તીર્થ વધુ પ્રસદ્ધિમાં આવતું જાય છે. આ પેઢીનો વહિવટ જંબુસરનો સંધ કરે છે. વિ. સં. ૧૮૮૬ ની સાલમાં કવિરાજ શ્રીદીપવિજયજી આ તીર્થની યાત્રાએ આવેલા અને આને મહિમા-ઈતિહાસ ઇત્યાદિ હકીકતો તેઓશ્રીએ કાવીતીર્થવર્ણન” નામના પિતાના બનાવેલા સ્તવનમાં ગૂંથી છે. પં. શ્રીદીપવિજયજી કવિરાજ વિ. ના ૧૯ મા સૈકામાં થઈ ગયેલા સમર્થ કવિ હતા. પર્યુષણ પર્વમાં ગવાતું ભ. મહાવીરદેવનું હાલરડું તથા અષ્ટાપદજીની પૂજા તેઓશ્રીની સુપ્રસિદ્ધ કૃતિઓ છે. તેઓના સમયમાં પણ કાવી તીર્થને વહિવટ જબૂસરને સંધ કરતો હતો. એ એમનાં સ્તવન પરથી જણાઈ આવે છે. વિ. સં. ૧૯૮૨ની સાલમાં સુરત નિવાસી શેઠ કલ્યાણચંદ ઘેલાભાઈ ઝવેરીએ કાવી-ગંધારને સંધ કાઢો. આ સંધ રેલ્વરસ્તે તથા ગાડામાર્ગ નીક હતો. સંધવીએ ઉદારતાપૂર્વક આ સંધમાં પૈસે ખર્યો હતો. સંસારી અવસ્થામાં લગભગ ૧૦ વર્ષની વયે હું પણ આ સંઘમાં હતો. એનાં સુખદસંસ્મરણે આજે પણ સ્મૃતિપટ પર તાજાં થતાં, એ ભવ્ય ભૂતકાલ નજર સામે ખડો થાય છે. ગંધાર–એક કાળે પિતાનાં તેજસ્વી ગૌરવથી ઇતિહાસના પાનાઓ પર અમર થઈ ગયેલું ગંધાર શહેર. આજે કાળની કરાલ કરામતનું ભોગ બની, ગુજરાતના દક્ષિણ-પશ્ચિમ છેડા પર ખંભાતના અખાતની , સપાટી પર ઊભું ઊભું પિતાના પ્રભાવની ગૌરવગાથાઓનું આજે આપણને સ્મરણ કરાવે છે. ગંધાર પૂર્વકાલમાં મોટું બંદર હતું. વ્યાપાર તથા વ્યવસાયે અહિં ધમધોકાર ચાલુ હતા. વિ. ની ૧૭મી સદીમાં સેંકડે ધનસમૃદ્ધ શ્રાવકોના ઘરે આ શહેરમાં હતા. જગદ્ગુરુ આ. ભ. શ્રી હીરસૂરીશ્વરજી મહારાજશ્રીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy