SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ કિરણ ૧૧ મું પાટલીપુત્ર અને વાણારસી. ૧. પટણા આજનું પણ એ પૂર્વનું પાટલીપુત્ર. એની સ્થાપના કેણિક પુત્ર ઉદયધારા થયેલી. પાટલવૃક્ષ નિમિત્તભૂત થવાથી નામ પડ્યું પાટલીપુર. પા હળથી પુરનું ગુત્ર થયું. પાટલવૃક્ષ સાથે અણિકાપુત્ર આચાર્યને ઈતિહાસ જોડાયેલો છે. અહીંના જ સંઘે વીસરાતું પૂર્વ જ્ઞાન રક્ષવા યોજના કરી. એ વેળા ચૌદપૂવી ભદ્રબાહુ સ્વામી શ્રતકેવલીને “સંઘબહારરૂપ અંતિમ આજ્ઞા ફરમાલી. એ સંઘનું ગૌરવ અને એ ભવભીરૂ મહાત્માએ કરેલું સંઘ બહુમાન આજે કયાં છે? અહીં જૈનવસ્તી છે છતાં અલ્પ. આજનું પટણું પાઘડીને વિસ્તરેલું છે. ગંગા નદીના કાંઠેથી શરૂ થતું ગુલજાર બાગ, . મુરાદપુર બજાર અને બાંકીપુર તરફ પથરાયેલું છે. પટણું જંકશન-સીટી.. સ્ટેશનથી છ માઈલ દૂર છે. હાઈકોર્ટે ઉપરાંત કોલેજો ઠીક સંખ્યામાં છે. વિશાળ ચોગાનો પણ વચમાં આવેલા છે. ઘોડાના એક્કા ને મોટરબસ રસ્તે દરે મળે છે. સીટી સ્ટેશનથી મંગલરાડ થઈ ચોકબજાર જતાં બે માઈલ થાય છે. નજીકની ગલીમાં નાની ધર્મશાળા ને દહેરું છે. નવું બે માળનું દહેજે બંધાઈ જવા આવ્યું છે. હાલ જૂના ચહેરામાં એક ભાગમાં પાર્શ્વનાથ ને બીજામાં આદિજિન છે. પ્રથમ જતાં ડાબા હાથે પાષાણમાં કોતરેલ વસ્ત્રનો આકાર દર્શાવતી સુંદર શ્યામવર્ણ અભિનંદન પ્રભુની મૂતિ તેમજ સામે સ્ફટિક બિંબ છે. એક કમરામાં દિગંબર બિંબ છે. આ ઉપરાંત સીટી સ્ટેશનની સામે બેગમપરામાંદાદાજી તથા સાધ્વીજીના પગલાની દેરીઓવાળ બગીચે છે. ગુલબજાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy