SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ 3 હોય. શાસ્ત્રોમાં લખ્યું છે ૧ આગમ જાણો ! – 'रागाद् द्वेषात् तथा मोहाद् भवेद् वितथवादिता । तदभावे कथं नामा-र्हतां वितथवादिता ।। १ ।। ' *૧ - રાગથી, ૨ દ્વેષથી અને ૩ મોહ (અજ્ઞાનથી) અસત્યભાષણ થાય છે, અરિહંતોમાં આ ત્રણેયનો અભાવ હોવાથી અસત્યભાષણ ક્યાંથી સંભવે ?' - આવા આપ્ત માત્ર અરિહંત જ હોય છે. આથી તેમણે કહેલ આગમને જાણવાનો અને તે મુજબ જીવવાનો જ પુરુષાર્થ કરવો જોઈએ. આ આગમ દ્વાદશાંગીરૂપ છે. જેને સાધિક નવ પૂર્વધર, યુગપ્રધાન પૂજ્યપાદ આચાર્યશ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજે વર્તમાનના અલ્પબોધવાળા જીવોના ઉપકાર માટે ચરણકરણાનુયોગ, દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુપયોગ એમ ચાર વિભાગમાં વહેંચી આપ્યો છે. શ્રી આચારાંગજીએ ચરણકરણાનુયોગને દર્શાવતું અંગ છે. જેની વ્યાખ્યા કરીને હવે ‘શ્રી સૂયગડાંગજી સૂત્ર જે દ્રવ્યાનુયોગને દર્શાવતું અંગ છે, તેની હું વ્યાખ્યા કરું છું,’ એમ કહીને તેઓશ્રીએ ‘શ્રીમદ્ આચારાંગજી ઉપરની વ્યાખ્યા આ પૂર્વે રચી છે,' તેવો નિર્દેશ આપ્યો છે અને તે આજે શ્રીસંઘના સદ્ભાગ્યે ઉપલબ્ધ પણ છે અને શ્રીસંઘ એના સહારે શ્રી આચારાંગજી સૂત્રના મર્મને પામવા સદ્ભાગી બન્યો છે. Jain Education International આગમ-અધ્યયન માટે જરૂરી બાબતો : આ અંગઆગમના અધ્યયનને માટે આઠ બાબતો જોવી આવશ્યક છે. ‘શ્રી વિશેષાવશ્યક ભાષ્ય' નામના મહાગ્રંથમાં ‘શ્રી આવશ્યક નિર્યુક્તિ'માંથી ગાથા ટાંકી ચૂર્ણિકારશ્રીએ આ વાત જણાવી છે. ત્યાં જણાવ્યું છે કે - ‘આહોયળા રૂ વિળયે, શ્વેત્ત’-વિસામિાદે ય જાણે ય । રિવસ્ત્ર-મુળસંપયા” વિથ, અમિવવારે ય અક્રમમ્ IIરૂરૂદ્દ।।' 6 ‘આલોચના-૧, વિનય-૨, ક્ષેત્ર-૩, દિશા-૪, કાલ-૫, નક્ષત્ર-૬, ગુણસંપદા-૭, અભિવ્યવહાર (ગુરુ-શિષ્યનો પરસ્પર વ્યવહાર)-૮' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy