SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ : શ્રી સૂયગડાંગજી સૂત્ર - એક પરિચય ‘ભગવાન સૂત્રકૃતાંગ’ એમ કહીને ‘સૂત્રકૃતાંગ' શબ્દની આગળ ‘ભગવાન’ શબ્દ મૂકીને સૂત્રકૃતાંગ પ્રત્યેનો અત્યંત બહુમાનભાવ, આદરભાવ વ્યક્ત કર્યો છે. ૫ - 1 - જ્યારે ચૂર્ણિકા૨ મહર્ષિએ નમસ્કાર મહામંત્રનાં નમો અરિહંતાણં વગેરે પહેલાં પાંચ પદોનો ઉલ્લેખ કરીને પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવા દ્વારા મંગલાચ૨ણ કર્યું છે અને ટીકાકાર પૂ. આ. શ્રી શીલાંકસૂરિજી મહારાજે પણ ટીકાના પ્રારંભમાં શ્રી જિન ભગવંતોને નમસ્કાર કરીને શ્રી સૂત્રકૃતાંગની વ્યાખ્યા કરવાનું પ્રણિધાન કર્યું છે. આ પ્રણિધાન કરતાં તેઓશ્રીએ સૂત્રકૃતાંગનો પરિચય આપતાં જણાવ્યું છે કે, સ્વ અને પરદર્શનોના સ્વરૂપને બતાવનાર અનંત એવા એકસરખા (ગમો) પાઠો, શબ્દપર્યાયો અને અર્થના ગુણોથી શોભતું હોવાથી જેનો કોઈ જોટો ન મળે તેવું હોવાથી આ સૂત્રકૃતાંગ અતુલ છે. 5 આજે ય સત્ય મળે છે તેનું કારણ : આ વ્યાખ્યામાં અનેક પૂર્વાચાર્યોએ પણ આ મહાન આગમ ઉપર વૃત્તિઓની રચના કરી છે, એવો નિર્દેશ કરીને તેમણે પોતાની લઘુતા દર્શાવવા પૂર્વક તે પૂર્વપુરુષોનું અનુસરણ કરવાનો અને પોતાના કરતાં અલ્પ બોધવાળા સાધકોને ઉપકારક થવાનો ભાવ વ્યક્ત કર્યો છે. Jain Education International જૈનશાસનની આ એક સૌથી મહત્ત્વપૂર્ણ વિશેષતા છે. અહીં પોતાનું કશું જ કહેવાનું હોતું નથી. પરંતુ સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ કૈવલ્યદૃષ્ટિથી જોઈ જાણી પ્રરૂપેલા ભાવોને પૂર્વાચાર્યોની પ્રામાણિક પરંપરા દ્વારા જાણીને તેને તે જ સ્વરૂપે પ્રકાશવાનું હોય છે. આ વિશેષતાનું યથાસ્થિત પાલન થતું આવતું હોઈ જ આપણને પરમાત્માના પ્રરૂપેલા સત્યો આજે ય નિભૅળપણે પ્રાપ્ત થાય છે. કર્મચ્છેદ માટે વિવેક જરૂરી, વિવેક માટે આપ્ત ઉપદેશ જરૂરી : For Private & Personal Use Only પ્રારંભમાં જ અનાદિ સંસારમાં રઝળતા જીવે દુર્લભ એવા માનવ જીવનને પામીને ઉત્તમ આર્યકુલોત્પત્તિ, સર્વેન્દ્રિય સંપન્નતાપૂર્વક શ્રી જૈનદર્શનને પામ્યા પછી સર્વ કર્મોના ઉચ્છેદ માટે પ્રયત્ન કરવાનો ઉપદેશ આપ્યો છે. સર્વ કર્મનો ઉચ્છેદ સભ્યગ્નિવેક વિના થતો નથી અને સભ્યગ્વિવેકની પ્રાપ્તિ આપ્તના ઉપદેશ વિના થતી નથી. આપ્ત તે જ કહેવાય છે કે, જેના સર્વ દોષોનો સર્વથા ક્ષય થયો www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy