SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ધનદેવનું દષ્ટાંત. પછી સમય જ કરવામાં આવી હતી. આવા પ્રકારનું સ્વર્ગના વિમાન જેવું ભવન તૈયાર કરીને તે વિદ્યાધરે, તેમાં અંતઃપુરના (જનાનખાનાના) મહેલો, અશ્વશાળા, હાથીખાનાં, સભામંડપ તથા દુકાને વગેરે સર્વની પણ રચના કરી. ૨૩-૨૨૮ બીજે દિવસે પ્રાતઃકાળમાં નગરની બહાર એવા (દિવ્ય) ભવનને જોઈને નગરવાસીઓ વિચારમાં પડી ગયા કે, આવું નગર અકસ્માત અહિં કયાંથી આવ્યું ? તેઓએ રાજાને પણ એ વાત જાહેર કરી, જેથી રાજા પણ ભયભીત થયો. તેણે એ નગરના અકસ્માત્ આવવા વિષે વિશેષ માહિતી મેળવવા સારું બદિઓને (ભાટ-ચારણોને) વિદાય કર્યો. તે બંદિઓ, ઉતાવળા ઉતાવળા ત્યાં ગયા અને તે વિષે સર્વ વાત જાણીને ત્યાંથી પાછા આવી રાજાને કહેવા લાગ્યા કે, “હેમરથ નામને વિદ્યાધર તમને મળવા માટે આવ્યો છે.” તે પછી સમગ્ર–સામગ્રીથી સજજ થઈ રાજા, નગરની બહાર જ્યાં એ વિદ્યાધર હતા ત્યાં એને મળવા માટે ગયે; ૨૨૯-૨૩૨ તે સ્થળે દિવ્ય વસ્ત્રાલંકારથી શોભી રહેલા વિદ્યાધરના પરીવારને જોઈને રાજા વિસ્મય પામ્યો કે, શું આ તે સ્વર્ગજ પૃથ્વી પર આવ્યું છે ?૨૩૩ વળી તે સમયે ત્યાંની અશ્વશાળાને અને હાથીખાનને ઘડાઓ તથા હાથીઓથી ભરપૂર જોઈને રાજાએ તુરતજ પિતાના ઐશ્વર્યના મદને ત્યાગ કર્યો.૨૩૪ તે પછી રાજા, હાથી ઉપરથી ઉતરીને મહેલની અંદર દાખલ થયો અને જળકાંત મણિની બાંધેલી ભૂમિમાં જળની ભ્રાંતિ થઈ જવાથી રાજાએ વસ્ત્ર ઉંચા લીધાં. ૨૩૫તે જોઈ છડીદારે હસીને કહ્યું કે, “હે રાજા ! આ જળ નથી પણ પૃથ્વી છે. આવી ભ્રાંતિ તમને કેમ થઈ ? શું ઘરની ભૂમિમાં કક્કી જળ હેય ખરૂં ? ૨૩૬ તે સાંભળી રાજા શરમાઈ ગયે, તેણે આગળ ચાલવા માંડયું, તેવામાં કોઈ એક સ્થળે જાણે જીવતા હોય તે નરદમ રત્નને બિલાડે તેના જેવામાં બહાર જયાં 2 ગયો, રાત મિમાં જળની જ દાખલ થયેલા ઉચી લીધાં. ર ( ૯ ), Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy