SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧. વિની પેઠે સર્વત્ર પ્રકાશ પાડી રહ્યો હતો. ૨૧૭ વિદ્યાધરનું એ ૫ જેઈને વિસ્મય તથા ભયને લીધે રાજપુત્રીમાં મિશ્રરસ ઉત્પન્ન થયે-અર્થાત્ પોતે ભયભીત થઈ અને આશ્ચર્ય પામી, ત્યારે વિદ્યાધરે તેને કહ્યું—“હે પ્રિયા ! તું તારા મનમાં વ્યાકુળ થા મા, હું તારો તેજ પતિ છું, કે જે હમણાં વિદ્યાધરરૂપે દેખાઉં છું. મારા આ વચનને તું સત્યજ માન.૧૮-૨૧હું હેમરથ નામને વિદ્યાધર છું, પણ “ ભેગી જીવોને સર્વ ઠેકાણે ભોગે પ્રાપ્ત થાય છે. ” આ વિષયમાં સંશય કરીને કાઢીઆના સ્વરૂપે અહિં આવ્યો છું.” ૨૨૦ તે પછી જેમ ( રાત્રીવિકાસી ) કમલિની, ચાંદનીવડે શુદ્ધ કિરણોવાળા ચંદ્રને જોઇને પ્રસન્ન-પ્રફુલ્લ થાય તેમ, તે રાજકન્યા પિતાના પતિને સુંદર સ્વરૂપવાળો જોઈને પ્રસન્ન થઈ–આનંદ પામી, ૨૧ પેલા વિદ્યાધરે પણ પ્રાપ્તિ નામની વિદ્યાર્થી પોતાના સમગ્ર પરિવારને ત્યાં બોલા વ્યો, જેથી તે જ ક્ષણે તે ત્યાં હાજર થયો.૨૨ વળી તે વિદ્યાધરે પિતાની વિદ્યાના બળથી તે સ્થળે એક ભવન (રાજમહેલ) તૈયાર કર્યું. તે ભવન નરદમ રત્નના હજારે થાંભલાઓ ઉપર સ્થિર થયેલું જણાતું હતું, તેના ઉપરની સુંદર પુતળીઓનાં રૂપ જોવા માટે મનુબોનાં મન આકર્ષાઈ જતાં હતાં, તે જાણે કે દૂર પ્રદેશથી આવ્યું હાય અને વિશ્રાંતિ માટે ત્યાં સ્થિર થયું હોય તેવું જણાતું હતું, મોટા મોટા ગવાક્ષે (ગે) રૂ૫ પિતાનાં અનેક મુખને પહોળાં કરી તે જાણે વાયુને પી જતું હોય તેવું લાગતું હતું, નીકળતી રત્નકાંતિની પ્રજાના તરંગવડે વ્યાપ્ત થયેલી પૃથ્વીરૂપ સમુદ્રમાં તે સ્થિતિ કરી રહ્યું હતું, તેના ઉપર ધ્વજા-પતાકા ફરકી રહી હતી તેની શોભા એક વિમાનના જેવીજ જણાતી હતી, તેની અંદરના ભાગમાં નગરવાસીઓના નિવાસેની રચના પણ કરી હતી, તેના ઉપરના ભાગમાં રત્નોની કળશપંક્તિ શોભી રહી હતી અને તેમાં સાત માળની ઘટના ( ૨૮ ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy