SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ કિઈને આચાર્યપદ પર સ્થાપિત કરવા ઈચ્છતો નથી. તે સાંભળી સમગ્ર સંઘે ફરી વિનતિ કરી કે આપે કહ્યું તે બરાબર છે, પરંતુ અમે વિજ્ઞપ્તિ કરીએ છીએ કે આપે શત્રુંજય તીર્થ ઉપર પ્રતિષ્ઠા કરીને સ્થાવર તીર્થની સ્થાપના કરી. હવે આચાર્ય પદ આપવા વડે જંગમ તીર્થની સ્થાપના આપના હાથે થાય એવી અમારી ઈચ્છા છે. સંઘની વિજ્ઞપ્તિથી પ્રસન્ન થયેલા સિદ્ધસેનસૂરિએ સંવત ૧૩૭૧ ના ફાગણ માસના શુકલ પક્ષની પાંચમના દિવસે મેસગિરિ નામના શિષ્યને આચાર્ય પદવી આપી અને તેનું “ કક્કસૂરિ' એવું નામ રાખ્યું. ત્યાં રહેલા ધારસિંહ નામના મન્ત્રીએ સૂરિપદને મહેસવ કર્યો. ઉત્સાહપૂર્વક પાંચ દિવસ ત્યાં રહીને સિદ્ધસેનસૂરિ ત્યાંથી નીકળી દેશલના સંઘને શત્રુજ્ય તીર્થે જઈને મળ્યા. હવે દેશ ફરીવાર શત્રુંજ્ય તીર્થની યાત્રા કરીને ગુરુની સાથે પાટલાપુર (પાટડી) તરફ સંઘ સહિત ગમેત્યાં નેમિનાથનું મંદિર હતું તેને પૂછ ત્યાંથી દેશલ સંઘસહિત શંખેશ્વર તીર્થે ગયા. ત્યાં ભગવાન પાર્શ્વનાથને પ્રણામ કરી તે તીર્થને વિષે મહાદાન અને મહાપૂજા કરી તથા મહાધ્વજા ચઢાવી સંઘ હારિજ ગયો. ત્યાં ઋષભદેવ ભગવાનને નમી ત્યાંથી પાટણ જવા પ્રયાણ કર્યું. અને પાટણની પાસે આવેલા “ઇલા” નામે ગામમાં દેસલે સંઘસહિત પડાવ નાંખે. તે વખતે સંઘસહિત કુશલપૂર્વક દેશલને આવેલા જાણી પાટણ નિવાસી બધા માણસો સંઘની સામે ગયા સંધને પાટણમાં અને તેઓએ સમરસિંહ અને દેશના ચરણની પ્રવેશોત્સવ. સુવર્ણના પુષ્પોથી પૂજા કરી નમસ્કાર કર્યો. મિત્ર મિત્રોને, બંધુ બંધુને, પિતા પુત્રને એમ બધા જન પરસ્પર આનંદપૂર્વક ભેટ્યા, અને તેઓએ પોતપોતાના સ્વજનને ગળે પુષ્પની માળા નાંખી. “તીર્થથી આવેલા છે માટે પૂજ્ય છે.” એમ ધારી લેકેએ ખૂબ પૂજા સત્કાર કર્યો. ૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy