SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધસૂરિનું સ્વર્ગગમન. દેશલનું સ્વર્ગગમન. એ સમયે શ્રીસિદ્ધસૂરિએ પિતાના આયુષના ત્રણ મહિના બાકી રહેલા જાણીને દેશલને કહ્યું કે, હે સાધુ! તારું આયુષ પણ હવે એક માસનું બાકી છે. ૨૮૮ મારે તે હવે ઊકેશનગરમાં જવું જોઈશે અને ત્યાં મુખ્ય પટ્ટ ઉપર હું પોતે જ સાવધાન થઈને કક્કસૂરિને બેસાડીશ.૨૮૯ માટે જે તમારી પણ ઇચ્છા હોય તે હવે સત્વર ચાલે. કેમકે તે સ્થળે દેવતાઓએ સ્થાપેલા વીર ભગવાન ઉત્તમ તીર્થરૂપ છે.”૨૯૦ આમ કહીને શ્રી સિદ્ધસૂરિએ સમગ્ર સામગ્રી તૈયાર કરી અને એકત્ર મળેલા સંધની સાથે તથા સાધુ દેશની સાથે ઊકેશપુર તરફ પ્રયાણ કર્યું. ૨૯ માર્ગમાં સાધુ દેશલને પુણ્યવાન જાણી ચિત્તમાં જાણે ઉત્કંઠા પામી હોય તેમ સ્વર્ગની દેવાંગનાઓ તેને વરી-દેશલશ્રેષ્ઠી સ્વર્ગમાં ગયો.૨૯૨ શ્રીસિદ્ધસૂરિએ ઊકેશનગરમાં જઈને માઘમાસની પૂર્ણિમારૂપ પૂર્ણ તિથિને દિવસે પિતાને હાથે કક્કરિને મુખ્યસ્થાન પર બેસાડ્યા. ર૮૩ તેમજ મુનિરત્નને, ઉપાધ્યાયપદ અને શ્રી કુમાર તથા સોમેન્દુને વાચનાચાર્યપદ અર્પણ કર્યો.૨૯૪ વળી તે સ્થળે દેશલના પુત્ર સહજપાલે, પિતાનાં અઢારે ગેત્રની સાથે વિધિપૂર્વક વીરસ્નાત્ર કરાવ્યું અને સાર્વજનિક અન્નસત્રો ખુલ્લા મૂક્યાં, આચાર્ય મહારાજેને આહારાદિદાન તથા સાધર્મિક વાત્સલ્ય પણ તેણે ઉત્સાહથી કર્યું. ૨૫-૨૯૬ તે પછી ત્યાં અઠ્ઠાઈ ઉત્સવ કરીને શ્રી સિદ્ધસૂરિ, સહજપાલની સાથે ફલવદ્ધિકા (ફળીતીર્થ) તરફ ગયા અને ત્યાં શ્રી પાર્શ્વનાથ ભગવાનને વંદન કર્યું. એ રીતે અવિચ્છિન્ન પ્રયાણથી યાત્રા કરીને શ્રી સિદ્ધસૂરિ સંઘની સાથે પાટણ નગરમાં આવ્યા. ૨૭–૨૯૮ સિદ્ધસૂરિનું સ્વર્ગગમન ત્યાં આવીને પિતાનું એક માસનું આયુષ બાકી રહ્યું એટલે ( ૨૩૧ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy