SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૫ તે પછી સહજપાલ વગેરે વિનયનમ્ર પુત્રએ, પિતાના પિતા. દેશલના બન્ને ચરણોને દૂધ વડે ધાયા.૨૭૮ અને દેશલે પાટણમાં આવ્યા પછી ત્રીજે દિવસે દેવભેજ્ય (નોકારસી) કરાવ્યું, જેમાં સર્વ સાધુઓને ઈચ્છાનુસાર ભાત–પાણું વહરાવ્યાં. ૨૭૯ એ દેવભજ્યમાં પાંચ હજાર નગરવાસીઓને ભક્તિપૂર્વક જમાડવામાં આવ્યા હતા ને સાર્વજનિક અન્નસત્રમાં તો જમનારા લેકેની સંખ્યા જ થઈ શકે તેમ ન હતી. ૨૮° સંઘનાયક દેશલે એ તીર્થોદ્ધારના કૃત્યમાં સત્તાવીશ. લાખ ને સિત્તેર હજાર રૂપીઆનો ખર્ચ કર્યો હતે.૨૮૧ એ તીર્થકાર્ય પૂર્ણ કરીને સંઘપતિ દેશલ પિતાના આત્માને કૃતાર્થ માનવા લાગ્યો અને ધર્મકર્મમાં નિત્ય આસક્ત રહી ઘરનાં કામ કરવામાં પણ તત્પર થયો.૨૮૨ તે જ પ્રમાણે સમરસિંહ પણ રાજ્યના સન્માનથી મોટી ઉન્નતિ પામીને મુખ્યત્વે પરોપકાર કરવામાં જ દિવસો ગાળવા લાગ્યો. ૧૮૩ દેશલનું યાત્રા માટે ફરી તીર્થગમન. તે પછી ફરી પણ વિક્રમ સંવત ૧૩૭૫ માં દેશલે, સાત સંઘપતિઓ તથા પિતાના ગુરુ સાથે મોટાં મોટાં સર્વ તીર્થોમાં બે વખત યાત્રા કરી હતી. તે વેળા એની સાથે લગભગ બે હજાર માણસો હતા.૨૮૪-૮૫ એટલું જ નહિ પણ એ યાત્રાઓમાં દેશલે પોતે જાતે જ લગભગ અગીઆર લાખ રૂપીઆ વાપર્યા હતા. ૨૦ એ રીતે તે કાળમાં સુરાષ્ટ્ર દેશના મુસલમાનનાં લશ્કરોએ પકડેલા તમામ મનુષ્યને સમરસિંહે મુક્ત કરાવી તે ક્ષેત્રમાં તે માટે જીમૂતવાહન થયો. ( કારણ કે જીમૂતવાહને ગરુડના ભયથી સાપને મુકત કર્યા હતા અને સમારસિંહે તે બધા મનુષ્યોને સ્વેચ્છના ભયથી. મુક્ત કર્યા.)૨૮૭ ( ૨૩૦ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy