SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પાત્રદાન વિષે શખવાજ કથા. આપી, કે જેમાં મનુષ્યને અદશ્ય કરવાની શક્તિ હતી.૪૪૪ એ ગોળી લઈને કુમારે તે આખી રાત્રિ સિદ્ધની સાથે વાતચીત કરવામાં ગાળી કાઢી, અને સવારમાં તે કાઇક નગરની પાસે જઈ પહોંચ્યો. ૪૪૫ એ નગરમાં એક સ્થળે ઘણો જ કેલાહલ થઈ રહ્યો હતો અને ઘણું લેકે એકઠા થયા હતા. તે જોઈને કૌતુક સ્વભાવવાળે કુમાર પણ પિતાના મિત્રને તથા યક્ષને સાથે લઈ ત્યાં ગયો.૪૪ તેની વચ્ચે જઈને તેણે જોયું તે કાકડીઓથી ભરેલું એક ગાડું ત્યાં ઉભું હતું અને તેની પાસે જ ઈએક ધનવાન વાણુઓ ઉભેલો જોવામાં આવતો હતો.૪૪૭ પછી શંખકુમારે કોઈ એક માણસને પૂછયું કે, કેમ ભાઈ ! આ વાણીઓ ચીભડાને વેપાર કરવાને તો અમેગ્ય દેખાય છે, છતાં ચીભડાના ગાડા પાસે કેમ ઉભો છે ?૪૪૮ પછી પેલા માણસે કહ્યું કે, આ તે એક સાર્થપતિ છે, લગભગ કુબેરના જેવો ધનવાન છે. માત્ર ગમ્મતને માટે ચીભડાં લઈને તે આ પ્રમાણે કહી રહ્યો છે કે, જે માણસ એક ઠેકાણે ઉભો રહીને આ બધી કાકડીઓ ખાઈ જાય તેને હું પૂરેપૂરી એક લાખ સોનામહોરો આપું. પણ કઈ મનુષ્ય આવું કઠિન કામ કરવા સમર્થ થઈ શકતો નથી, જેથી તેના ઉત્તર માટેની જાણે છાયા હોય તેમ, આ સર્વલક અહીં તેની પાસેના ભાગમાં ફર્યા કરે છે.” ૪૪૯–૪૫ તે પછી શંખકુમારે સાર્થપતિના વચનને સ્વીકાર કર્યો અને યક્ષની શક્તિને લીધે એક રમતમાત્રમાં તે બધી કાકડીઓને એક કાળીયાની પેઠે ખાઈ ગયે.૪૫૨ તે જોઈ સર્વ મનુષ્યો તો વિચારમાં જ પડી ગયા અને કહેવા લાગ્યા કે આ તે કેાઈ સિદ્ધ હશે, દેવ હશે કે વિદ્યાધર હશે ? ખરેખર આવાં અદ્દભુત કર્મોથી સર્વને આશ્ચર્ય કરનેરે આ પુરુષ કોઈ સામાન્ય મનુષ્ય નથી.૪પ૩ એ રીતે માણસો કુમારની સ્તુતિ કરી રહ્યાં હતાં તે વેળા પેલો સાર્થપતિ કુમારની પ્રાર્થના કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy