SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૨. ખૂબ રગડવા માંડયા.૪૩૪ એ વેળા વનના બે હાથીની પેઠે તે બન્ને જણા યુદ્ધ કરવા લાગ્યા, અને ત્યાં ઉભેલા રાજકુમારના મિત્ર, યક્ષ તથા યાગીને ભય, વિસ્મય તથા હર્ષાદિના રસને ઉત્પન્ન કરવા લાગ્યા.૪૩૫ જાણે એ મલ્લુ લડી રહ્યા હોય તેમ, તેઓ બન્ને પગની આંટી નાખીને હાથ વડે અન્યાન્યને બાંધીને તથા મુઠ્ઠીઓના પ્રહાર કરીને એકબીજાને પૃથ્વી પર લાટાવી દેવા લાગ્યા અને પછી તેા થાક્યા પણ ખરા.૪૩૬ તે વેળા શંખકુમારને એક દાવ હાથમાં આવી ગયેા. તેણે તુરતજ પેાતાના એ અવસર મેળવી લઈ પેલા રાક્ષસને પગ પકડ્યો અને પેાતાના મસ્તકની આસપાસ એક ક્ષણવાર સુધી તેને ભમાવ્યા.૪૩૭ તે જ ક્ષણે એ રાક્ષસે પેાતાનું રાક્ષસી સ્વરૂપ ત્યજી દીધું, અને પેાતાના દિવ્યદેહની કાંતિથી દિશાઓમાં ઝળહળાટ કરતી વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી ત્યાં પ્રકટ થઈ.૪૩૮ પછી તે ખેલી કે, હે વત્સ ! હું વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી છું, મેં તારા સત્ત્વની પરીક્ષા કરવા માટે જ આવું રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું હતું.૪૬ હું સાત્ત્વિકામાં શ્રેષ્ઠ કુમાર ! જેમ ઉત્તમ સુવર્ણ અમૂલ્ય હોય તેમ, તારૂં સત્ત્વ પણ અમૂલ્ય છે—અપ્રતિરૂપ છે. તેથી હું તારા પર પ્રસન્ન થઈ છું, તને જે કંઈ ઇષ્ટ હાય તે વર તું માગી લે. દેવીએ એ પ્રમાણે કહ્યું, ત્યારે કુમાર ખેલ્યાઃ—“હે દેવિ ! હું જે સમયે તારૂં સ્મરણ કરૂં તે સમયે તું મારી પાસે આવજે. ૪૪૪૦-૪૪૧ “તથાસ્તુ” એમ કહીને દેવી અંતર્ધાન થઇ ગઇ. તે પછી પેલા યાગી પણ ઉભા થઇને કુમારને ભેટી પડયા અને પેાતાને સ્વાથ પૂર્ણ થવાથી મનમાં પ્રગ્નુલ થઇ તે ઓલ્યા કે, હે મહાભાગ! આ સિદ્ધિ તમારી કૃપાથી જ મને પ્રાપ્ત થઇ છે. કેમકે ચંદ્રકાંતમણિમાંથી જે અમૃતસ્રાવ થાય છે તેમાં ચંદ્રની ચેષ્ટા જ કારણભૂત હાય છે. ૪૪૨-૪૪૩ ઇત્યાદિ પ્રશંસા કરીને યાગીએ કુમારને અત્યંત આગ્રહપૂર્ણાંક એક ગાળી ૪૩૯ ( ૮૪ ) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy