SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ભરતે છડેલું ચક્રરત્ન યુદ્ધનું નિરીક્ષણ કરે. યુદ્ધ ત્રણ પ્રકારનાં છે. દષ્ટિનું યુદ્ધ ઉત્તમ, બાહુ અને વચનનું મધ્યમ, તીક્ષણ હથિયારો, તરવારે અને ભાલા વડે જનસમુદાયને વિનાશ કરનાર યુદ્ધ અધમ ગણેલું છે. તે વચન સાંભળીને તરત ભરત મહારાજાધિરાજે જણાવ્યું કે, દૃષ્ટિયુધના ઉત્તમ યુધ્ધથી યુદ્ધ કરીશું. એમ કહીને દૂતને રજા આપી. તે સર્વ હકીક્ત બાહુબલીને જણાવી. હવે રૌજના આગલા ભાગમાં સેનાપતિ વગેરે સુભટોનું અશક્ય જયવાળું થતું ભયંકર યુદધ રેકીને ભરત મહારાજા અને બાહુબલી ઉત્તમ પ્રકારનું દૃષ્ટિયુધ્ધ લડવા લાગ્યા. તેમાં પ્રથમ દષ્ટિયુધ્ધ તેમજ વચન અને બાહુથી બીજું યુધ્ધ, ત્યાર પછી મુષ્ટિ અને દંડથી યુદ્ધ કર્યું. ત્રણે યુદ્ધમાં ભારતની હાર થઈ હારેલા ભરતે છેડેલું ચક્રરત્ન આ સમયે મહાપરાભવથી ખેદ પામેલા ભરતાધિપે પિતાના ચકવતી પણામાં શંકા ઉત્પન્ન થવાથી ચકરત્નનું સ્મરણ કર્યું. સ્મરણ કરતાં જ ચક્ર હાથમાં આવી ગયું, એટલે બંનેના સૈન્યમાં હાહાકાર શબ્દવાળે મેટો કેલાહલ ઉછળે. જેની જવાલાઓ આકાશમાં વ્યાપી ગયેલી છે, એવા ચકરત્નને ભરતે બાબલી ઉપર છોડ્યું. ચક્રરત્ન એક ગેત્રમાં પ્રહાર કરતું નથી, એટલે બાહુબલિની પ્રદક્ષિણ ફરીને વળી પાછું તેના હાથમાં આવીને રહ્યું. તેના હાથમાં રહેલું ચકરત્ન બાહુબલીએ દેવું. ત્યાર પછી પાગ્નિ વડે લાલનેત્રવાળો થયેલો બાહુબલી કહેવા લાગ્યા– વિષ અને વિષયને તફાવત “ હે નરાધિપ ! જે હું મારું બળ પ્રગટ કરું તે નિષ્ફર ભુજાયંત્રની મજબૂતાઈથી ચક્રસહિત તમને અને તમારા સૈન્યને પકડીને ચૂરે કરી નાખું. નીતિ અને મર્યાદાનું ઉલ્લંઘન કરનારને હણવામાં હવે કયે ગુણ ગણાય ? ઉખડી ગયેલી દાઢવાળા સર્પને પકડનાર ગારૂડિક કે માંત્રિકમાં સામર્થ્ય ગણાતું નથી. રાજ્ય ખાતર આવું અકાર્ય આચરણ કરનારને ધિક્કાર થાઓ, કે જ્યારે પિતાને પરાભવ થયે, ત્યારે આચાર, પરાક્રમ અને સત્યને ત્યાગ કર્યો. જે કારણે લોકે મર્યાદા લોપી પિતાના બંધુને પણ નિરપેક્ષપણે હણે છે, તેવાં રાજ્ય અને વિષયેનો હું સ્વયં સ્વેચ્છાએ ત્યાગ કરું છું. પંડિતે વિષ અને વિષયો એ બંનેનું આંતરું મોટું કહે છે. તેમાં વિષ તે એક વખત ખાવાથી હણે છે અને વિષયે તે સમરણ કરવા માત્રથી અનેક વખત મૃત્યુ પમાડે છે. વિષયરૂપી ઝેરથી મૂર્શિત થયેલ મતિવાળા પુરુષે નરકની વેદનાઓ ગણતા નથી, તેમ જ લજા, પિતાનું ગૌરવ કે કુલ પણ લેતા નથી, કે કાર્યાકાર્યને પણ વિચાર કરતા નથી. વિષયસુખની આશારૂપ પિશાચીથી ગ્રસ્ત થયેલે પુરુષ પશુ સમાન ગણાય છે કે, જે અંધ માફક મૂઢ બનીને પિતાનું હિતાહિત સમજી શક્ત નથી. તે રમાત્મા ધર્માચરણ સેવ નથી, ગુરુ અને દેવેની નિંદા કરે છે, ભયને ત્યાગ કરીને નેહ, લજજા અને ગૌરવને ગણકારતું નથી, તેમજ વિનય અને મર્યાદા પણ જાળવતે નથી. જે લોકે મર્યાદાનું ઉલ્લંઘન કરી પરલોક-વિરુદ્ધ વ્યવહાર કરે છે, તેમાં જે કોઈ કારણ હોય તે વિષમિશ્રિત ભજન સરખા અનાર્ય વિષયે જ છે. જે મૂઢ માણસ હિતને ત્યાગ અને અહિતને આદર કરે છે, તે મેટા શીલ અને સજ્જનના ગુણોને દૂષિત કરનાર એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy