SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ બાહુબલીને પ્રત્યુત્તર, ભગવંતની સ્તુતિ તે વજ સરખા મારા માર્ગને તજીને ઈચ્છા પ્રમાણે વિચરે, ભાઈની લક્ષ્મીમાં મારે કઈ દવે નથી.” એમ કહીને તને રજા આપી. એ સમયે કાલનિવેદકે સંભળાવ્યું કે, સંધ્યારૂપ બીજી અંગનાના સમાગમથી પ્રગટ કરેલા રાગવાળે સૂર્ય પોતાના અસ્તસમયે અનુક્રમે ઓસરી જતાં કિરણોના સંગથી શ્યામદેહવાળા આકાશને ત્યાગ કરે છે. સૂર્ય સ્વયં પોતાનું તેજ ઉપસંહરણ કરીને નિર્બળતા પ્રાપ્ત કરે છે. ખરેખર ધીર પુરુષેની પિતાની ચેષ્ટા જ વિનાશમાં કારણભૂત થાય છે. સ્કુરાયમાન તેજવાળા સૂર્યમંડલનું તેજ જેની સામે નજર પણ કરી શકાતી ન હતી, તે જ સૂર્યમંડળ સંધ્યા સમયે નિસ્તેજ બની ગયું. જગતમાં તેજ-કીતિની રક્ષા મહાન છે. દિવસના પૂર્વ ભાગમાં વૃદ્ધિ પામતા જે પ્રતાપને જોવા અને જાણવા માટે શક્તિમાન થઈ શકાતું ન હતું, તેજ પ્રતાપને સાયંકાલે અવસ્થાઓના પલટા કેવા કેવા થાય છે? તેના હેતુરૂપ બને છે અને સુખથી તે નિહાળી શકાય છે. પતિના વિરહમાં પણ જે રાત્રિ પ્રાણુ ધારણ કરે છે, તેની મલિનતા કેઈ અપૂર્વ છે-એમ જાણીને હોય તેમ સૂર્યની સાથે દિવસ અસ્ત પામે. સૂર્યના વિરહમાં અંધકાર–સમૂહ પણ સમગ્ર આકાશતલ મલિન કર્યું. “ખલપુરુષ જ્યાં સુધી બીજાનું છિદ્ર ન દેખે ત્યાં સુધી શાન્તિ પામતો નથી.” એક માત્ર સૂર્ય વગર લાગ જોઈને અંધકારે સંધ્યાકાળે આખા જગતની અવસ્થા પલટી નંખાવી. “તેજસ્વી પુરુષ સર્વ પ્રકારે જય પામે છે. આ પ્રમાણે કાલ-પરિણતિના ગે મહાતેજવાળે સૂર્ય અલ્પતેજવાળે થઈ અસ્ત પામે છે. પરંતુ પ્રતાપી એ તે મલિનતા સહન કરતો નથી. ત્યાર પછી બાહુબલી સમગ્ર સામંત લોકોને રજા આપી પિતે સભામંડપથી ઊભા થયા. અહંકાર અને ઉત્સાહ જેના લગ્ન થયા છે, એ દૂત પણ ત્યાંથી નીકળીને તક્ષશિલાથી નિરંતર પ્રયાણ કરતાં કરતાં મહારાજા ભરતની રાજધાની વિનીતા નગરીએ આવી પહોંચે. બાહુબલીને વૃત્તાંત જાણીને ભરત મહારાજાએ બાહુબલીના દેશ તરફ યુદ્ધ કરવા ઘેષણ કરાવી, યુદ્ધભેરી વગડાવી. રાત્રિના છેલ્લા પહોરે ઊડી ગયેલી નિદ્રાવાળા ભરતને કાલનિવેદકે સંભળાવ્યું કે, ભુવનની રક્ષા કરવાની અભિલાષાવાળ તારે પ્રતાપ હંમેશાં જાગતો જ છે, તે પણ કમલખંડની જેમ કે તારા પ્રતિબંધની પૂજા કરે છે, અર્થાત્ “ઊગતા સૂર્ય પૂજાય છે. સૂર્યનો ઉદય થવાથી તારાઓ નાસી જાય છે. ચંદ્રનું તેજ ઘટી જાય છે. “કુરાયમાન અને ફેલાતા તેજવાળ પુરુષ જગતમાં શું શું નથી કરતો?” સ્નેહી સ્વજનો, આશ્રિતરૂપ કમલે વિકાસ પામે, વૈરીઓરૂપ કુમુદો કરમાઈ જાઓ, સૂર્યની જેમ તમારા જાગવાથી ભુવન રમણીય બને.” આ પ્રમાણે કાલનિદકની સ્તુતિ પૂર્ણ થતાં તુર્ણ થયેલ ઉતાવળા, યુદ્ધથી ન ડરેલા સ્વામી લશ્કરના મોખરે ગયા, ત્યાર પછી મોટું યુદ્ધ કરવા માટે સેના ચાલવા લાગી, નિરંતર થાક ખાધા સિવાય પ્રયાણ કરતાં કરતાં બાહુબલીના રાજ્યની સીમા પાસે ભરત મહારાજા આવી પહોંચ્યા. બાહુબલીએ કરેલી ભગવંતની સ્તુતિ આ બાજુ સમગ્ર કરવા ગ્ય કાર્યો નીપટાવીને પ્રયાણ કરવાના નજીકના સુંદર દિવસે બાહુબલીએ તીર્થકર ભગવંતની સ્તુતિ કરવા માટે દેવગૃહમાં પ્રવેશ કર્યો, અને તે આ પ્રમાણે સ્તુતિ કરવા લાગે હે ત્રણે લેકમાં એક અદ્વિતીય મલ! પરમાર્થ શત્રુ-કર્મને નાશ કરનાર, લેકાલેક પ્રકાશિત કરવામાં સમર્થ ! કેવળજ્ઞાનવાળા તમે જ સાચા નાથ છે. આ સમગ્ર જીવલેક માટે તમે જ એક શરણભૂત છે. ભવ્યના બંધુ પણ તમે જ છે અને ભવને અંત કરનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy