SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ o w ચેપન્ન મહાપુરુષોનાં ચરિત્ર કંચુકી- (ઈને) અ! રાજરાણીની ચતુરિકા નામની આ દાસી છે. હે ચતુરિકા ! તું કયાં જઈ રહી છે? દાસી- હે ભગવંત! તમને પ્રણામ કરું છું. કંચુકી- તું સૌભાગ્યવતી થા. દાસી- મને સ્વામિનીએ મોકલાવી છે....(વળી તે જ વાતનું પુનરુચ્ચારણ કરે છે.) કંચુકી- જે એમ જ છે, તે આને આપ (વિદૂષક તરફ નજર કરીને) (દાસી તેમ કરે છે.) કંચુકી- અરે યથાર્થ બોલનારા! આ તારા બોલવા પ્રમાણે લાડવા પ્રાપ્ત થયા. વિદૂષક- જે એમ છે, તે મારે મિત્ર દેવ થશે. કંચુકી–અરે દુષ્ટ બટુક ! અપશુકનીયા ! તને ધિકકાર હો. હું તે કુમાર પાસે જાઉં છું ( ત્યાંથી નીકળે. ) વિદુષક–(હર્ષ પૂર્વક નાટકી ઢબે લાડવા જો) અરે ભેગી! આ ઘણું ઘીવાળા ગોળાકાર ઘણું લોકેને પ્રાર્થના કરવા ગ્ય. તારા સ્તન-કળશ માફક દર્શન કરવા યોગ્ય લાડવા જોઈને જેટલો સંતુષ્ટ થયો છું, તેટલો મિત્ર પ્રાપ્તિના સમાચારથી પણ નથી થયો. ( ત્યાર પછી કેપ પામવા માફક તેને જુએ છે.) વિદુષક–અરે ભેગી ! ફરી પણ રેષાયમાન થઈને ગાઢ શ્યામ પાંપણના પક્ષપુટ અર્ધ બંધ કરીને ચપળ કીકીવાળા નેત્રમાંથી બહાર નીકળતા સ્મા–પ્રવાહની શભા ગર્ભિત કટાક્ષ ફેંકીને મારા તરફ જોયા કરે છે ? આથી મને ઘણું કુતૂહલ અને આકુળતા થાય છે. દાસી– હે હતાશ ! જે તું નહિ ગ્રહણ કરીશ, તે હું બીજે જઇશ. વિદુષક- તારા બીજે સ્થળે જવાથી મારું શું ભલું થવાનું ? તે પછી તારા ઘરે જ રહેવા દે. રાજકુળથી પાછા ફરીશ, ત્યારે લેતે જઈશ. દાસી-ભલે તેમ થાવ. (એમ કહીને ચાલી ગઈ) વિદુષક-આવતાં આટલે મોટો વિલંબ કેમ થયું હશે ? કદાચ પિતાના વચનથી ઉત્તેજિત કરાયેલે મારે પ્રિય મિત્ર મારા સમાચારને મેળવે અને અહીં આવી પહોંચે તે ? ( ત્યાર પછી ક્ષેભ પામેલે કુમાર પ્રવેશ કરે છે. ) કમાર-પિતાજીએ આવો સંદેશે કેમ મેલાવ્યું હશે કે, “તું સામગ્રી રહિત એકલે કેમ બહાર નીકળે ? એકલાવડે પૃથ્વીને લાભ કે પાલન કરવું શક્ય નથી.” તે પિતાજીએ “આ મારે પુત્ર છે ” એમ કેમ સંભાવના નહિ કરી હશે ? શું વનમાં વિચરતા સિંહને સહાયકની જરૂર હોય ખરી ? તે આ પ્રમાણે વજ સરખા દઢ પગના પચા અને પંજાના નખાગના ઘાથી હાથીના દંકૂશળ અને ઉત્તમ જાતિના મુક્તાફળના સમૂહને ચૂરે કરનાર સિંહ સહાયતા વગરને હેય તે પણ શત્રુઓનું દલન કરે છે. ખરેખર કાર્યસાધક હોય, તે અંદર રહેલું એક માત્ર સત્ત્વ–પરકમ જ છે, તેમજ પિતાની ઈચ્છાનુસાર મૃત્યુ પામનાર ભીષ્મ પણ યુધ્ધમાં શંક્તિ મનવાળે નથી. શ્રીકૃષ્ણ અર્પણ કરેલા બલરૌન્યથી અર્જુન, સૂર્યથી રક્ષાયેલ કર્ણ, મહાદેવથી મહાબલ પામેલ રાવણ, દ્રોણદિક બીજાના અપાયેલા બલથી બલવાન છે, પરંતુ ઈદ્રની જેમ પોતાનું સ્વાભાવિક બેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy