SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ એ વિદ્યાધરીઓ સાથે ગાંધવ વિવાહ ૩ર૧ સંસારનું સ્વરૂપ સમજાવ્યું, વિષયેાની પરિણતિ પણ કહી, તે આવા પ્રકારના વિપાકના છેડાવાળા વિષયસુખથી અમને સયું, એ વાતના પિતાએ સ્વીકાર કર્યા. આ પ્રમાણે ભાઈની વલ્લભતાના કારણે શારીરિક સુખ-સગવડો ઘટાડીને માત્ર સ્નાનભાજનાદિક વડે શરીર ટકાવવાની ચિંતા કરતી અમે અહી` રહેલી છીએ. દરમ્યાન કાઈક દિવસે પૃથ્વીમંડલમાં ભ્રમણ કરતા અમારો ભાઈ તમારા મામાની પુષ્પવતી’નામની પુત્રીને દેખી રૂપાતિશય, સૌભાગ્ય આદિ ગુણાથી આકર્ષાયેલા માનસવાળા તેણે તે કન્યાનું હરણ કર્યું" અને પછી અહીં આવ્યા. તેની દૃષ્ટિન સહન કરી શકતા. અમારા ભાઈ વિદ્યાની સાધના કરવા માટે ગયેા. આ પછીના વૃત્તાન્ત આપ જાણી જ છે. ત્યાર પછી હું ભાગ્યશાળી! તે અવસરે તમારી પાસેથી આવેલી પુષ્પવતીએ અમને કહ્યું. સાન્જીન આપવા પૂર્વક ભાઈ ને વૃત્તાન્ત પણ જણાવ્યેા. તે સાંભળીને વૃદ્ધિ પામેલા પ્રચંડ શેકસમુદાયવાળી ઘણા અશ્રુજળથી મલિન કરેલા કપેાલતલવાળી અમે રુદન કરવા લાગી. કેમે કરીને રુદન નિવારણ કરી તેણે કહ્યું કે-દુઃખસ્વરૂપ સંસારની મહાઅટવીમાં ભ્રમણ કરતા કયા જંતુરૂપ હરણનું ભયંકર ચમરાજાના હાથથી મૃત્યુ નથી થયું? પેાતાના કના પ્રભાવથી સકલ ઈન્દ્રિયાના વિષયાથી ઉત્પન્ન થયેલું સમગ્ર સુખ કોને પ્રાપ્ત થયું છે? આ સંસારમાં અતિશય સ્નેહથી ભરપૂર પરાધીન સંગ કરવાથી દેવાધીન ઈષ્ટ વિયેાગે કાને ઉત્પન્ન નથી થતા ? હૈ સુંદરીઓ ! હવે અસાર સંસારના કારણભૂત સ્નેહના ત્યાગ કરીને આ શાકને શિથિલ કરો. શેક કરવા તે તા દરેકને સુલભ છે. બીજું મુનિએ કહેલાં વચનને યાદ કરો. જે કાળે જે બનવાનુ નિર્માણ થયેલું હોય, તે પ્રમાણે અને જ છે. તમારા હૃદયને હવે સ્થિર કરા. બ્રહ્મદત્તની સાથેના સંબંધ અંગીકાર કરા. તે સાંભળીને અનુરાગી અનેલી અમે અનેએ તરતજ તે વાત સ્વીકારી. ત્યાર પછી અતિઉતાવળમાં પુષ્પવતીએ તમને સંકેત કરવા માટે બીજી જ પતાકા ચલાયમાન કરી દેખાડી. તે દેખીને તમે કયાં પ્રયાણ કરી ગયા, તે અમે ન જાણી શકચા. ન દેખાયા એટલે અમે વિવિધ વન, અરણ્યના અંતરાલમાં તપાસ કરાવી ફરી મનેાહર લતાગૃહમાં, ત્યાર પછી મોટા પ°તાની ગુફાઓમાં, પછી પરિમલથી એકઠા થયેલા ભ્રમર-કુળાથી મુખર અનેલા કમલેાવાળા સાવરા વિષે, પછી જુદા જુદા ગામ-નગરાને વિષે તપાસ કરાવી. જ્યારે તમને કાંય પણ ન જોયા, ત્યારે વિષાદ પામેલી અમે અહી આવી. ખરેખર, હજી ક ંઈક ભાગ્ય બાકી હતાં, તે અણુધારી સુવવૃષ્ટિ થવા માફક અહીં આપનાં દર્શનના ચેગ થયો. તે હુ મહાભાગ! પુષ્પવતીને વૃત્તાન્ત યાદ કરીને અમારા મનેરથા પૂર્ણ કરો. એ પ્રમાણે તેમનાં વચન સાંભળીને તરત જ મેં તેમની વાતના સ્વીકાર કર્યાં. ગાંધવ –વિવાહ કરીને યથાનુક્રમે તેમની સાથે વિવિધ ક્રીડા કરીને શ્રેષ્ઠ પલ્લંગમાં સૂઈ ગયે. કેવી રીતે? પરસેવાના ખાનાથી ફ્રામદેવ દૃઢ અનુરાગ પ્રગટ કરતા હાય, તેમ ગાઢ અનુરાગથી આલિંગન કરવા ચેાગે શ્વેત વિલેપન વડે વ્યાપ્ત થયા. વેગથી ગ્રહણ કરાએલ કઠણ કંઇક બીડાએલા ચંચળ દળાના પુટવાળી મંદગતિવાળી પુષ્પમાળા જાણે ઈર્ષ્યાથી હાય તેમ સુગંધ ફેલાવતી હતી. અતૃપ્ત પતિએ કરેલા ગાઢ ચુંબનથી અલતાના રસ ઉતરી ગયેલા હેાવા છતાં પણ સ્વાભાવિક થયેલ લાલરગવાળા ૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy