SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ સગરના પુત્રને સ્વૈરવિહાર-અષ્ટાપદગમન તેમની પાસેથી પૂર્વભવ સાંભળીને વૈરાગ્ય પામેલે હું વિચાર કરવા લાગે છે, કઈ પ્રકારે ખેરના અંગારાથી તપાવેલ લોહની બનાવેલ પૂતલીનાં અંગોપાંગને આલિંગન કરીને સુઈ જવું સારૂં, પરંતુ રાગસહિત સ્ત્રીનું આલિંગન ન કરવું. ઇત્યાદિ વિષયમાં દેષ દેખનાર અને ખાસ કરીને મહિલામાં વધારે દેશે જાણીને તૃણ સરખા રાજ્યને ત્યાગ કરીને તેમની પાસે મેં દીક્ષા અંગીકાર કરી, તે તું પણ જે વિષયસુખ કડવા ફલવાળું જાણતો હોય તે આ સ્ત્રીઓ દુષ્ટ અને વિષમ છે. સંસાર દુઃખ અંતવાળો છે, તે તે ન છોડે તે પહેલાં તું તે બંનેને ત્યાગ કર. એ સાંભળી ઉત્પન્ન થયેલા વૈરાગ્યવાળો હું તેમની પાસે દીક્ષિત છે. તેમની સાથે વિહાર કરતાં અહીં આવ્યું. તે ભગવંતને આ સિદ્ધવડ નીચે દિવ્ય કેવલજ્ઞાન પ્રગટ થયું અને આઠે કર્મને નાશ થવાથી તેઓએ સિદ્ધિગતિ મેળવી. તે કારણે શ્રીપર્વત ઉપર સિદ્ધવડ એમ કહેવાય છે. તે હે મહારાજ ! મારી પ્રત્રજ્યાનું આ કારણે તમને જણાવ્યું. આ સાંભળીને તમારે પણ સ્ત્રીને વિશ્વાસ ન કરે જોઈએ. સમુદ્રની ઊંડાઈ હજુ માપી શકાય, કેઈ પ્રકારે મેરુપર્વત પણ માપી શકાય છે, પરંતુ આ ભુવનમાં યુવતીનું મન માપનાર કોઈ નથી. આ સાંભળી મુનિની પ્રશંસા કરીને તથા વંદન કરીને સગર ચક્રવતીના પુત્રો પિતાના પડાવમાં ગયા. ત્યાંથી આગળ પ્રયાણ ચાલુ કરીને ભારતમાં વિચરવા લાગ્યા. કેવી રીતે ? સગરના પુત્રોને સ્વૈરવિહાર-અષ્ટાપદગમન ઉદ્યાને, સરોવર, નદીઓના કિનારે વિવિધ બગીચાઓ, પર્વતના શિખરે, ગામ, નગર, અટવી, મડંબ, કર્બટ, મેટાકિલ્લા વગેરે સ્થળોમાં સગર ચક્રવતીના મહાસત્ત્વવાળા પુત્રો સ્વેચ્છાએ વિચરે છે, દાન આપે છે, ભેગે ભોગવે છે અને ભારતમાં પર્યટન કરે છે, સંપત્તિ ભગવે છે, દુષ્ટજનને નાશ કરે છે, અથીઓના મનોરથે પૂર્ણ કરે છે. આ પ્રમાણે ગુણવાળા ધીર વીર કૃતજ્ઞ સદા સાહસિક ભુવનમાં પોતાને પ્રતાપ ફેલાવે છે. ભુવનમાં ઉભરાતા યશ સમૂહથી નિર્માણ કરેલ હોય તેવા સમગ્ર જિનેશ્વરનાં ચિત્યથી યુક્ત ધવલ જિનમંદિરવાળા ઊંચા અષ્ટાપદ પર્વત પાસે ફરતા ફરતા કુમારે આવી પહોંચ્યા. હવે જળ વહેતા ઝરણા ખળખળ કરતા જીણા શબ્દોથી મુખર, વિસ્તીર્ણ તટના ઉત્તમ મણિના કિરણથી રંગાયેલ દિશાયુક્ત, પૃથ્વી–મંડલને જોવા લાગ્યા. નંદનવન માફક મનહર નિવાસસ્થાનવાળું, વિદ્યાધરો, ઈન્દ્રો અને દેથી યુક્ત, વિવિધ મણિરથી બનાવેલાં ઘણા પ્રકારનાં જિનભવનેથી શોભાયમાન હર્ષ પૂર્વક ચારણ મુનિઓ, વિદ્યાધરો, દે, અસુરે અને અનેક મનુષ્યનાં વૃન્દો તથા જતા-આવતા વંદનાથી એ વડે રોકાયેલા માર્ગવાળા, જ્યાં અગુરુ, કપૂરના ગોટેગોટાવાળી ધૂમશ્રેણિ ઉછળી રહેલી છે, વગાડાતા પડહા, મલ, કાંસી, શંખ આદિ વાજિંત્રો સંભળાઈ રહેલાં છે, જય જયારવનાં મંગલગીતે, સ્તુતિ-સ્તોત્રોન ઉત્પન્ન થયેલ કોલાહલવાળે, વિસ્મયજનક, મેરુપર્વત સરખો અષ્ટાપદપર્વત જોયા. સમગ્ર જોવા લાયક સ્થળવાળે અષ્ટાપદપર્વત જોઈને તેના નાયકએ પૂછયું કે- આ ક પર્વત છે? તેને જિનભવનેથી અલંકૃત કેણે કર્યો? ત્યારે સુબુદ્ધિ વગેરે મંત્રીઓએ કહ્યું કે, પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવંતના પુત્ર ભરત ચકવાત એ જિન ભવનથી અલંકૃત કર્યો. જગતના પિતામહ બાષભસ્વામી ભગવંત અહિંજ સિદ્ધિગતિને પામ્યા. તે કારણે તેના વંશમાં થયેલા બીજા રાજાદિક તથા દે, અસુરે, વિદ્યારે નિરંતર આની પૂજા કરે છે. માટે આ પર્વતને “ સિદ્ધિક્ષેત્ર” રૂપે તીર્થ માનવું અને તમારે પણ તે તીર્થની આરાધના કરવી. એમ સાંભળીને પર્વતના શિખર પર ચડ્યા. પિતપોતાના શરીરપ્રમાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy