SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ અત્રે પધારેલ પૂજ્યો અને સાધર્મિકો અમોને તીર્થના વિકાસ અને ભક્તિ માટે જરૂરી સૂચનો કરે કે, જેથી અમો એનો શક્ય અમલ કરી જૈનશાસનના જયનાદ કરવામાં અમારો સહભાગ આપી શકીએ. અમારા સ્થાપક ટ્રસ્ટી શ્રી બાબુકાકાએ તીર્થના કાર્ય માટે મને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. 'Blank Cheque' મારા હાથમાં આપી તેઓએ મને આગળ વધાર્યો છે, એના કારણે જ અમો યત્કિંચિત્ શાસન સેવા ક૨વા સોભાગી બન્યા છીએ. પ્રવચનપ્રભાવક પૂ. આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજશ્રીએ અમારી વિનંતીનો હૃદયની ઉદારતાપૂર્વક સ્વીકાર કર્યો. ઉગ્ર વિહાર કરીને અત્રે પધાર્યા. અમારી ભૂલો બતાવી, સુધારવાની પ્રેરણા કરી, ભૂલો સુધારીએ એની તક આપી, વાત્સલ્ય આપીને અમોને આગળ વધારવા પ્રયત્ન કર્યો તે બદલ અમો તેઓશ્રીના ઋણી છીએ. તેઓશ્રી કરુણાભાવ રાખી અમારા ‘પાવાપુરી તીર્થધામ’એ ‘જૈનશાસનનું એક આદર્શ તીર્થ' બને એ માટે જરૂરી બધું જ શાસ્ત્રીય માર્ગદર્શન પૂરું પાડે, એવી વિનંતીપૂર્વક પરમાત્માને પ્રાર્થના કરું છું કે, શાસનસેવાનું આ અમારું કાર્ય અવિરત ચાલ્યા કરે. પરિશિષ્ટ-૮ : શ્રી પ્રકાશભાઈ સિરોડીવાળાના વક્તવ્યનો સારાંશ ૨૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy