SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ અમોને પાવાપુરીની યાત્રા દરમ્યાન મળેલ. ત્યાંનું જલમંદિર અને સમવસરણ મંદિર જોઈને અમને થયું કે, મરુધર દેશમાં પણ પ્રભુ શ્રી મહાવીર મહારાજા વિચર્યા છે. આબુની તલેટીના આ તીર્થધામમાં તેઓશ્રીની એ સાધનાકાળની સ્મૃતિને જીવંત બનાવે એવા સંકુલનું નિર્માણ થાય અને એમાં સૌને સાત ક્ષેત્રની ભક્તિ અને દુઃખી જીવોની દયાઅનુકંપાનું આલંબન મળ્યા કરે. આ માટે હવે પછી આ તીર્થધામમાં અમોએ પરમાત્મા શ્રી મહાવીરદેવનું વિશાળ જલમંદિર અને સમવસરણ મંદિર બનાવવાની ભાવના રાખીએ છીએ. ગુરુભગવંતોનું માર્ગદર્શન મેળવી અમો આ કાર્યમાં શીધ્ર આગળ વધશું. ત્યારબાદ પરમાત્મા શ્રી મહાવીરદેવના ૨૭ ભવોની અને અંતિમ ભવની ઘટનાઓને સાકાર કરતી સુંદર રચનાઓથી બનેલી પટશાલા બનાવવામાં આવશે. અત્રે બિરાજમાન શ્રી શંખેશ્વર-પાર્શ્વનાથ પ્રભુના ૧૦ ભવોના સુંદર પટો પણ બનાવવામાં આવશે. તીર્થના આંગણે વિશાળ જગ્યા સંપાદિત કરવામાં આવી છે, તે પૈકીની સુયોગ્ય ભૂમિમાં ૨૪ તીર્થકર ભગવંતની પાદુકાનું સ્થાપન કરવાની અમારી ગણતરી છે. જે જે તીર્થંકર પરમાત્માને જે જે વૃક્ષ નીચે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું, તે તે વૃક્ષની નીચે સુંદર મજાની દેરીઓ બનાવી, તે તે પરમાત્માની વર્ણ અનુસાર ચરણપાદુકા અને પ્રભુનો પરિચય કરાવતો માહિતીપટ સ્થાપિત કરવાની આ યોજના છે, જે તીર્થમાં ચોવીશે પ્રભુની છત્રછાયા વર્તાવશે. તદુપરાંત તીર્થના આંગણે સાતે ક્ષેત્રની ભક્તિ સારામાં સારી રીતે થાય એવાં કાયમી આયોજન ગોઠવવાની પણ અમારી ભાવના છે. આગળ વધી પૂજ્યોના ચાતુર્માસ, ઉપધાન, વાચનાશ્રેણી અને સમ્યક જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના ઉત્તમોત્તમ રીતે થાય એવાં વિવિધ આયોજનો યોજવાનો પણ વિચાર છે. ૨૨૨ જનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy