SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ એની જોગવાઈ કરવી જોઈએ. ૨૨ - કાયમી ફંડોના ચક્કરમાં પડવા કરતાં વર્ષે વર્ષની આવકના સ્રોત ઉભા કરવા, સારું છે. દા. ત. દેરાસર માટે અષ્ટપ્રકારી પૂજાદ્રવ્યોના લાભ લેવા માટે બાર મહિનાના લાભના ચડાવા કરી બોર્ડ ઉપર એક વર્ષ માટે લાભ લેનારનું નામ લખવાથી વર્ષનો ખર્ચ પ્રાયઃ નીકળી જાય છે. આ જ રીતે સાધારણ ખાતા માટે પણ ચડાવા કે નકરા નક્કી કરી, નામો લખી શકાય છે. દર વર્ષની ૩૬૦ તિથિઓ પણ નોંધી શકાય. ૨૩ - વર્ષ દરમ્યાનના વહીવટમાં અજાણતાં ય કોઈ દ્રવ્યમાં ગરબડ થઈ હોય, તેનાથી બચવા માટે ટ્રસ્ટી, બધા જ ખાતામાં પોતાનું ઘરનું થોડું પણ દ્રવ્ય જરૂર લખાવે. કોઈ લાભ લીધાના બદલામાં આ દ્રવ્ય લખાયેલ ન હોવું જોઈએ. ૨૪- દેરાસર વગેરે ધર્મસ્થાનોના નોકર-કર્મચારી વર્ગ પ્રાયઃ ટ્રસ્ટી માબાપની જેમ વર્તણૂક-વ્યવહાર રાખે. કામની પૂરી કાળજી માંગે. સાથોસાથ સારા કાર્યની કદર કરતા ય આવડવી જોઈએ. ૨૫- સંઘમાં ક્લેશનું વાતાવરણ ઊભું ન થાય એનું ધ્યાન રાખે. તો પણ ક્લેશ થાય ત્યારે મગજને ટાઢું રાખી તેનું સમાધાન લાવે. ક્લેશ નિવારવા માટે કોઈ ગીતાર્થ સદ્ગુરુનું શાસ્ત્રીય માર્ગદર્શન લેવા માટે લેખિત ઠરાવ કરાવી લેવો હિતાવહ છે. ઉદ્યવિહારી સાધુસાધ્વીજી ભગવંતોનું આગમન, સ્થિરતા, ચાતુર્માસ, પ્રવચન વગેરે થતાં રહે એ માટે પ્રયત્નશીલ રહે. ૨૬ - આપણા સંઘમાં, તીર્થમાં સુવિહિત, શુદ્ધપ્રરૂપક, ૨૭ - શ્રાવક જીવનનું ઉત્તમ જ્ઞાન મેળવવા શ્રાદ્ધવિધિ અને ધર્મસંગ્રહ ભા. ૧નું ફરી ફરી પઠન-મનન ટ્રસ્ટીએ કરવું ખૂબ જરૂરી છે. સાધુભગવંતોની સામાચારીનું જ્ઞાન મેળવવા માટે ધર્મસંગ્રહ ભા. ૨નું ગુરુનિશ્રા મેળવી વાંચન કરવું જોઈએ. ૨૮ - બહુમતી-સર્વાનુમતીના ચક્કરમાં ન પડવું. શાસ્ત્રમતીથી ચાલવાનો ૨૧૨ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy