SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ એ ઉદ્યાપનમાં સાધુ-સાધ્વીને ખપી શકે એવાં જે વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણો હોય તે સાધુ-સાધ્વીજી માટે નિર્દોષ બને છે. આ રીતે ઉદ્યાપન કરીને તમે સાધુસાધ્વીજીની નિર્દોષ ભક્તિ કરી શકો. ત્રીજો પણ એક નિર્દોષ ભક્તિનો ઉપાય છે : તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય તેટલા સાધુના વેષના ઉપકરણના સેટો ઘરે દર્શનાર્થે વસાવ્યા હોય. રોજ સાધુપણું પ્રાપ્ત થાય એ માટે તમે એ વેષનાં દર્શન કરતા હો, તો એ તમારી દીક્ષા માટે વસાવેલો વેષ સાધુ-સાધ્વી માટે નિર્દોષ ગણાય. કોઈ સાધુ-સાધ્વીજી પધારે તો એ વેષની-એ વસ્ત્ર-પાત્ર ઉપકરણોની વિનંતી કરો તો તમને નિર્દોષ લાભ મળી શકે. આજે તો અમને આવીને પૂછે, સાહેબ કયું કાપડ લઈ આવું? ગોલ્ડન બૂચ કે એલ.એલ.બી. નું? કેટલા પનાનું? કઈ મીલનું? કેટલાક તો સામેથી લઈ આવે અને જો અમે એ ન લઈએ તો અમને કહે કે, “સાહેબ, ખાસ તમારા માટે જ લાવ્યા છીએ. હવે જો તમે નહિ લો તો અમારે શું કામ આવશે? અમારે તો પડ્યું જ રહેવાનું છે.' મુમુક્ષુની દીક્ષા થાય ત્યારે “કરેમિ ભંતે' નું ઉચ્ચારણ થયા બાદની સાધુપણાની અવસ્થાની તમામ આવકજિનમંદિરના જીર્ણોદ્ધાર કે નવનિર્માણમાં જ વાપરી શકાય. દીક્ષાના સમયે, મુમુક્ષુઅવસ્થામાં એ ઘરેથી નીકળી ગયો છે અને “કરેમિ ભંતેની પ્રતિજ્ઞાનો હજી સ્વીકાર થયો નથી, એ વચ્ચેની અવસ્થા સંક્રામક અવસ્થા છે, તે અવસ્થાને લગતા ઉપકરણો અર્પણ કરવાના ચડાવા સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતે જમા કરાય છે. મુમુક્ષુનું સંસારથી અંતિમ પ્રયાણ-વિદાય તિલક કે વિજયતિલક કરવાની ઉછામણી બોલાય છે, તે દ્રવ્ય સાધારણ ખાતે જમા કરી શકાય. આ બધું અવસ્થાવિશેષને લક્ષ્યમાં રાખીને કરાતું હોય છે. ક . : : : यस्तृणीमयीमपि कुटी कुर्याद्दद्यात्तथैकपुष्पमपि । भक्तच्या परमगुरुभ्यः पुण्योन्मानं कुतस्तस्य ? ।। મારી - યથાણા, એની કોઇ કારણ કે જો સારી ૧૭૪ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy