SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ આ અંગે તેમની સાથે પત્રવ્યવહાર કરતાં “તે સમયના ક્ષત્રિયો અને બ્રાહ્મણોના માનસને રજૂ કરવા માટે મેં આ બન્નેય પાત્રોનો ઉપયોગ કર્યો છે અને એમ કરવાનો લેખકને હક્ક છે” – એવું લખ્યું હતું. એના સંદર્ભમાં એમની સામે કાયદેસર નોટિસ અપાતાં એમને માફી માંગવી પડી હતી, જે તે વખતના હિંસા વિરોધ” માસિકમાં છપાઈ હતી. આ સંદર્ભમાં પંડિત માલવણિયાએ પ્રબુદ્ધ જીવનના રજત જયંતિ વિશેષાંકમાં લખેલા એક લેખમાં બળાપો કાઢ્યો હતો. જે અંગે તેમની સામે પણ ઘણું લખવાનું બન્યું હતું અને એના અનુસંધાનમાં પ્રબુદ્ધ જીવનના તે સમયના તંત્રી ચીમનલાલ ચકુભાઈએ દિલગીરી વ્યક્ત કરી હતી. આવી જે બધી ઘટનાઓ બની હતી, તેના કારણે નામથી તેઓ મને ઓળખતા હતા. એટલે કહેવાનો મુદ્દો એ છે કે જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ સાચી રીતે કરવો અને જ્ઞાનદ્રવ્યથી આવેલાં પુસ્તકો આવા પંડિતોને આપવાં ન જોઈએ. સભા સ્વદ્રવ્યથી બનાવેલા ભંડારનાં પુસ્તકોનો ઉપયોગ તો નકરો આપ્યા વિના કરી શકીએ ને ? સ્વદ્રવ્યથી બનાવેલો જ્ઞાનભંડાર પણ જો શ્રુતની ભક્તિ નિમિત્તે શ્રીસંઘને સમર્પિત કર્યો હોય તો તેનો ઉપયોગ યોગ્ય નકરો આપ્યા વિના ન કરી શકાય. જેમ કે આ શ્રી કે. પી. સંઘવી પરિવારે સ્વદ્રવ્યથી આટલું સરસ જિનમંદિર બનાવ્યું છે, આમ છતાં તેઓ પણ એનો ઉપયોગ પોતાની મરજી મુજબ તો ન જ કરી શકે. જિનમંદિરમાં જિનભક્તિ સિવાયનું કોઈ કાર્ય ન કરી શકે અને જિનભક્તિનું કાર્ય પણ જૈનશાસનની મર્યાદા બહાર જઈને ન કરી શકે. મારી આ વાત બરાબર છે ? સભા : બિલકુલ બરાબર છે. બસ! એ જ નિયમ અહીં પણ લાગુ પડે છે. જ્ઞાનભંડારશ્રીસંઘને સમર્પણ થઈ ગયા બાદએનો ઉપયોગ શ્રાવક-શ્રાવિકા યોગ્ય નકરો આપ્યા વિના ન કરી શકે. जिणभवण-बिंब-पुत्थय-संघरूवेसु सत्तखित्तेसु । ववियं धणंपि जायइ सिवफलयमहो अणंतगुणं ।। ૧૬ જનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy