SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ટ્રસ્ટીઓને પાણીની વ્યવસ્થા કરવી પડી. એ વ્યવસ્થા સાધારણ ખાતામાંથી અને સાધારણ ખાતાની જગ્યામાં જ કરી શકાય. છતાં એનો ઉપયોગ કરનારે તો એનું દ્રવ્ય એ ખાતે આપવું જ જોઈએ. સાધારણ ખાતાનું દ્રવ્ય પણ સાધારણ વ્યક્તિઓ જ વાપરી શકે. જેઓ સાધારણ નથી, તેમણે સાધારણ દ્રવ્યનો ઉપભોગ કરવો ન જોઈએ. દેરાસરની પ્લીન્થ નીચે ઘણા સ્થાને પેઢીઓ બનાવવામાં આવે છે. એમાં બેસીને ચા-પાણી કરવાં કે કશું ખાવું-પીવું બિલકુલ યોગ્ય નથી. એમાં દેવદ્રવ્ય સિવાયના બીજા ખાતાઓનો વહીવટ પણ ન કરી શકાય. જો અન્ય ખાતાંનો વહીવટ ત્યાં ચાલતો હોય તો તે જગ્યાની કિંમત જે થતી હોય તે રકમ સાધારણની કે વૈયક્તિક ઊભી કરી દેવદ્રવ્ય ખાતે જમા કરાવવી જોઈએ. સભા : બાર મહિનાના કેશર-સુખડના ચડાવા થાય એમાં લાભ લીધો, પછી એ દ્રવ્યમાંથી પૂજા કરીએ તો ચાલે ને ? સાચી વિધિ પૂછતા હો તો મારે કહેવું જોઈએ કે, પૂજા કરવાવાળી વ્યક્તિએ સ્વયં પોતે પોતાનું જ દ્રવ્ય લાવવું જોઈએ અને એનાથી પ્રભુની પૂજા કરવી જોઈએ. બહારગામથી કોઈ આવ્યું અને પૂજાની સામગ્રી કદાચ ભૂલી ગયો હોય તો તે પણ પૂજાનાં દ્રવ્યો ત્યાં રાખેલાં હોય તો પૂજા કરી શકે, માટે દ્રવ્યો રખાતાં. પણ એ વાપરનાર પણ ત્યાં મૂકેલી કેશર-સુખડની પેટીમાં વાપરેલ દ્રવ્યના પૈસા નાંખતો. પછી તો કેટલાક સંઘોમાં અજ્ઞાનવશ દેવદ્રવ્યમાંથી આ સગવડ થવા લાગી. તે અનર્થને ટાળવા અષ્ટપ્રકારી પૂજાનાં દ્રવ્યોનો વાર્ષિક લાભ લેવાના ચડાવા શરૂ કરાયા છે. એમાં બારે માસના કે મહિના-મહિનાના લાભના ચડાવા કે નકરા રાખીને લાભ અપાય છે, જેથી શ્રાવકોને પોતાના કર્તવ્યરૂપે કરાતી જિનપૂજામાં દેવદ્રવ્યના ઉપભોગનો દોષ ન લાગે. આ અમારા વારી રી , पूज्योऽयं स्मरणीयोऽयं सेवनीयोऽयमादरात् । अस्यैव शासने भक्तिः कार्या चेचेतनाऽस्ति वः ।। વધા - નિનન પત્રીણી, I !” કરો ૧૬૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy