SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ મંદિરમાં પ્રભુની સામે મૂકેલ ભંડારની આવક, જન્મવાંચનના દિવસે બોલાતી સ્વપ્નદર્શનની ઉછામણીઓથી એકત્ર થયેલું સ્વપ્નદ્રવ્ય, ઘોડીયા આદિની આવક તેમ જ ઉપધાન કે સંઘ પ્રસંગે માળારોપણની થયેલી બોલીની આવક એ બધું દેવદ્રવ્ય ગણાય છે. તેનો ઉપયોગ જિનમંદિર અને જિનમૂર્તિ બંનેમાં થઈ શકે છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે સુવિહિત સાધુ-સાધ્વીજીના ગુરુપૂજનની જે આવક થાય, એ જિનમંદિરનો જીર્ણોદ્ધાર કે નવનિર્માણના કાર્યમાં વાપરવી જોઈએ. પરંતુ એ ધનનો જિનેશ્વર પરમાત્માની અંગપૂજામાં ઉપયોગ ન થાય તેની કાળજી રાખવી. કેમ કે દ્રવ્યસપ્તતિકામાં લખ્યું છે કે – નિનાપૂળાય મેવ વ્યાપાર્વમ્ !' જિનેશ્વરની અંગપૂજામાં ન જ વાપરવું.” સભા : મૂર્તિ ભરાવવાનો ખર્ચ ૨૫000 હોય અને ચડાવાની આવક લાખ રૂપિયાની થાય તો આવક ક્યાં જાય? અમે તો ખર્ચો કાઢીને બાકીની રકમ દેવદ્રવ્યમાં લઈ જઈએ છીએ. આજે શું ચાલે છે કે ચાલી રહ્યું છે તે મને ખબર છે. એ મારે નથી કહેવું. મારે તો એ અંગે શાસ્ત્રની મર્યાદા શું કહે છે, એ જ વાત તમારી આગળ રજૂ કરવાની છે. મૂર્તિ ભરાવવાનો ચડાવો કરો ત્યારે મૂર્તિના નિર્માણમાં આવતા ખર્ચની રકમનો નકરો અલગ જાહેર કરી લેવો જોઈએ. એ ખર્ચના નકરામાંથી મૂર્તિ નિર્માણ કરાવી શકાય, પરંતુ ભરાવવાના ચડાવાની રકમ તો પૂરેપૂરી દેવદ્રવ્ય ખાતે જમા કરવી પડે. ભરાવવાના ચડાવાની રકમમાંથી ખર્ચની રકમ લઈ શકાય નહિ. ઘણા સ્થાને એક જ કોથળીમાંથી બધો વ્યવહાર કરવામાં આવે છે. જેટલી छट्टट्ठमदसमदुवालसेहिं मासद्धमासखमणेहिं । अकरंतो गुरुवयणं, अणंतसंसारिओ भणिओ ।। -धर्मरत्नप्रकरण છ કરે : હે મને આ મા હા, પ્રકાર, રે દર શ ર ૧૫૪ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy