SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક-શ્રાવિકાની ભક્તિ કરી તેણે શ્રી તીર્થંકરદેવની ભક્તિ કરી એમ કહેવાય અને શ્રાવક-શ્રાવિકાનું અપમાન કરનાર, એ શ્રી તીર્થંકરદેવનું અપમાન કરનાર છે. એમ કહેવાય. પણ જે આત્માઓ પોતાને શ્રાવક કહેવડાવવા છતાં શ્રી જિનમૂર્તિ આદિ ક્ષેત્રો તો અમારે જ આધારે છે એમ માને છે તે અને એમ મનાવવાનો ઉપદેશ કરે છે તેઓ તો મહાપાપી છે. .... શ્રાવક-શ્રાવિકા ધર્મક્ષેત્ર ખરાં, તે પોષવા યોગ્ય પણ ખરાં અને તે ભક્તિ કરવાને પાત્ર પણ ખરાં, પરંતુ એ બધું શાથી? તો સમજવું જોઈએ કે તેઓ શ્રી જિનબિબાદિક પાંચે ક્ષેત્રોને પૂજનારાં છે તેથી, પણ નહિ કે એ પાંચેનો આધાર છે માટે!આજ તો એ ભાવના પણ આવવા લાગી કે, ભગવાન અપૂજ્ય ન રહે એ માટે પૂજા કરીએ છીએ.’ આવી ભાવનાવાળા સાધર્મી નથી જ! (પૃષ્ઠ: ૧૪-૫૫-૫૬-૫૭માંથી સંપીને) દિક્ષાની વાત નીકળે ત્યારે પણ ઘણા કહેતા હોય છે કે, “બધા જ દીક્ષા લેશે તો એમને રોટલી કોણ વહોરાવશે ?” જાણે રોટલી વહોરાવવા માટે જ એ ઘરમાં રહેવા માગે છે!એમને ખ્યાલ નથી હોતો કે સાધુ-સાધ્વીજી એમના ઉપર જવાબદારી મૂકીને દીક્ષા નથી લેતાં હોતાં. એ પોતાના સંયમબળ પર જીવે છે. જૈનો તો ઘણી ઓછી જગ્યાએ રહે છે, બધે કાંઈ જૈનોનાં ઘર હોતાં નથી. એવાં સ્થાનોમાંય મજેથી ભગવાનનાં સાધુ-સાધ્વીજી જીવતાં હોય છે, અજૈનોને ત્યાંથી ગોચરી-પાણી લાવી જીવનનિર્વાહ કરતાં હોય છે. ઘણીવાર તો એમ બને કે, જૈનો કરતાંય આ અજૈનોનો ભક્તિભાવ ચડી જાય એવો હોય છે, ઘણા પ્રેમથી વહોરાવે છે, આંગણે ભગવાન આવ્યા તેમ તેઓ માને છે અને ઘણા સ્થાને કહેવાતા જૈનોય ભક્તિ કરવામાં ઊણા ઊતરે છે. એક નક્કી વાત છે કે, સાધુસાધ્વીજી તમારા ઉપર નથી આવતા. દીક્ષા લેતી વખતે પણ અમારી જવાબદારી તમે લેતા હો તો અમે દીક્ષા લઈએ !એવી કોઈ કંડીશન એઓ નથી મૂકતા. માટે १- माता-पिता, २- स्वामी एवं ३ - धर्माचार्य गुरु - इन तीनों के उपकार का बदला चूकाना दुःशक्य है । उसमें भी धर्माचार्य गुरू के उपकार का बदला चूकाना सविशेष दुःशक्य પ્રવચન-૫: સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૫૧ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy