SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ પાટ ઉપર બેસાડશો ? કેમ નહીં ? મહત્તા કોની ? સાધુની પાસે પૈસો-ટકો કશું જ નથી. છતાં સાધુને જ બેસાડશો ? કેમ ? સાધુનું જ્ઞાનાદિ ધન કોઈ લઈ જાય તો પણ ઘટતું નથી. એ વધવાનું જ. જ્યારે તમારું ધન કોઈ વાપરી લે તો ઘટી જાય. બોલો, તમારું ધન રાખવા જેવું કે છોડવા જેવું ? સભા ઃ છોડવાનું મન જ થતું નથી. નાનું છોકરું, એના હાથમાં એકવા૨ ૨મકડું પકડાવી દો, પછી એ એને છોડે જનહિ . ગમે તેટલું માંગશો તોય છોડશે નહિ. ખેંચી લો તો ભેંકડો તાણશે. એવી તમારી હાલત છે કે નહિ ? એક ધનના કારણે કેટલાં દુઃખો ? કેટલાંક દર્દી તો ખાસ શ્રીમંતો માટે જ રીઝર્વ છે. બી. પી., હાઈ પ્રેશર, કોલેસ્ટોરૉલ, નિદ્રાનાશ, ટેન્શન, હાર્ટઍટેક, એસીડીટી એ શ્રીમંતોને વધુ થાય. અમે ધન વગરના એટલે અમને કોઈ જ તકલીફ નહીં. ક્યાંક જઈએ ને કોઈ કહે, ‘અહીંથી ચાલ્યા જાવ’ - તો પાંચ મિનિટમાં નીકળી જઈએ અને તમારે ક્યાંકથી જવાનો વારો આવે તો નીકળવાની તૈયારીમાં કદાચ મહિનોય લાગી જાય. માટે જ જ્ઞાનીઓએ કહ્યું છે કે વિદ્યમાન, બાહ્ય અને અનિત્ય-નાશવંત એવા ધનને જે સાતક્ષેત્રમાં વાવતો નથી, તે શ્રીમંત નથી પણ બિચારો-રાંકડો છે. આવા રાંકડાને ચારિત્ર ન આપવું એમ અમને આજ્ઞા કરેલી છે. આના પરથી તમને સાતક્ષેત્રમાં ધન વ્યય ક૨વાનું કેટલું મહત્ત્વ છે, તે સમજાશે. જો નાશવંત એવું ધન પણ સાતક્ષેત્રમાં વાપરવાનું હોય તો તન અને મનની મળેલી શક્તિનો સદુપયોગ પણ ત્યાં જ ક૨વો જોઈએ ને ? સાતક્ષેત્રના આધારે જ સમાજ, સંઘ અને અમારી-તમારી–સૌની સુખ-શાંતિ અને બાહ્ય-અત્યંતર આનંદનો આધાર રહેલો છે. तीर्थंकर, प्रवचन, श्रुत, आचार्य, गणधर एवं महाऋद्धिसंपन्न साधु-भगवंतों की बार बार आशातना करनेवाले को अनंतसारी ન્હા હૈ । यतिलक्षणसमुचय टीका Jain Education International પ્રવચન-૫ : સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૪૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy