SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ રાતમાં પાંચ વાર તો ગુરુદેવના સંથારાની જગ્યા બદલાતી. ખુદ દાદાગુરુ જાગતા રહી એમની સુરક્ષાનું ધ્યાન રાખતા. એ સમયમાં આ મોટાં માથાંઓએ જ ઉપાશ્રયમાં ભૈયાઓની સુરક્ષા ગોઠવેલી. તેમ જ વ્યાખ્યાન-વિહાર સમયે પણ તેમના ખર્ચે પોલિસ તૈનાત રહેતી. આવી પરિસ્થિતિમાં જવાબ આપવો કે, ‘અમે તમારી સુરક્ષાના ભરોસે જીવતા નથી, અમે પરમાત્મા મહાવીરદેવના, અમારા ગુરુદેવોના, ધર્મશાસ્ત્રના અને અમારા સંયમના બળે જીવીએ છીએ. કાલથી નહીં આજથી જ તમારા ભૈયાઓને ઉઠાવી લો' : આ કેટલી અસામાન્ય વાત છે ! માટે જ નગીનભાઈએ કહ્યું કે, ‘જીવાભાઈ મોટી ભૂલ થઈ ગઈ. આપણાથી આવું બોલાય જ નહિ. વીતરાગના શાસનનો સાચો સાધુ તો આજે જ જોયો !’ જીવાભાઈને ય વાત સ્પર્શી ત્યાં ને ત્યાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. ઉપર આવી ગુરુદેવોના પગમાં માથું મૂકી પાપનું પ્રાયશ્ચિત્ત કર્યું. ‘સાધુઓએ અમારું માન જાળવવું જોઈએ,’ એવી વાત તમે કરી એનો આ જવાબ છે. સાચી વાત બાળક પણ લઈ આવે તો જરૂર મનાય, ખોટી વાત મોટા માંધાતાની હોય તોય ન જ મનાય. સાધુ જિનાજ્ઞાને બંધાયેલા છે જગતને નહિ. આચાર્યશ્રી ગુણસાગરસૂરિજીનું નામ તમે સાંભળ્યું હશે. અંચલગચ્છના ગચ્છાધિપતિ હતા. ગૃહસ્થ જીવનમાં તેઓ પ્રખર ગાંધીવાદી હતા. જૈન પ્રવચન (પૂ. આ. શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં પ્રવચનો છાપતું સાપ્તાહિક) વાંચીને એમને ગાંધીવાદ અને સુધારાવાદનાં અનિષ્ટો સમજાયાં. એ બધું એમણે છોડ્યું અને એમને દીક્ષાનો ભાવ જાગ્યો. દીક્ષા લઈ છેક આચાર્યગચ્છાધિપતિ પદ સુધી પહોંચ્યા. એમણે જાહે૨માં કહેલું કે - “સુધારાવાદીઓ, જે એવી પરિસ્થિતિ સર્જવા ઇચ્છતા હતા કે, ‘સાધુઓએ રેંટિયો કાંતવો પડે અને સાધ્વીજીઓએ હોસ્પિટલોમાં નર્સોનું કામ કરવું પડે’, પરંતુ આચાર્યશ્રી રામચંદ્રસૂરિજી મહારાજના પ્રભાવે જ તેઓ એમાં સફળ ન થઈ શક્યા.” श्रावक; जिनेश्वर के मंदिर में, जिनप्रतिमा की श्रेष्ठ प्रतिष्ठाओं में, श्रेष्ठ पुस्तकों को लिखवाने में, सुतीर्थ एवं तीर्थंकर की पूजाओं में अपना खूब स्वद्रव्य लगाता है । भक्तपचक्खाण Jain Education International પ્રવચન-૩ : જિનાજ્ઞા અને ધર્મશાસ્ત્રોનું મહત્ત્વ ૧૨૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy