SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ભોળવાઈ ગયા. વાત એમ થઈ કે, ‘બન્નેય બાજુનાં પ્રવચનો બંધ કરાવીએ.’ એ માટે પહેલેથી જ સુધારકોએ નક્કી કરેલી યોજના મુજબ તે ભક્ત આગેવાનોને સુધારકોની વાતો જ્યાં પીરસાતી તેવા સ્થાને લઈ ગયા અને ત્યાંથી તેમને ‘જો તમે ત્યાં વ્યાખ્યાન બંધ કરાવો તો અમે પણ બંધ કરશું,’ એવું વચન અપાવ્યું. હવે તેઓ અહીં આવ્યા. જીવતલાલ પ્રતાપશી, નગીનદાસ કરમચંદ જેવાં મોટાં માથાં આ કાર્યવાહીમાં સંકળાયાં હતાં. તેઓ લાલબાગ આવ્યા. પૂ. આ. શ્રી વિજય દાનસૂરીશ્વરજી મહારાજાને મળી વાત કરી. એમણે મા૨ા પરમતારક ગુરુદેવને બોલાવી કહ્યું : ‘આ વ્યાખ્યાન બંધ કરાવવા આવ્યા છે એ અંગે શું કરવું છે ?’ મારા ગુરુદેવે દાદાગુરુદેવને જવાબ આપ્યો : ‘સાહેબ, આપ જેમ કહો તેમ કરશું.’ ‘એમ નહિ, તારે જ નિર્ણય લેવાનો છે.' ત્યારે બન્નેય ગુરુદેવોએ સમગ્ર પરિસ્થિતિને આંખ સામે રાખી વિમર્શ કર્યો, વિમર્શના અંતે નિર્ણય લીધો કે, “પ્રવચનો ચાલુ રાખવાં, બંધ ન કરવાં.” દાદાગુરુદેવની નિશ્રામાં આગેવાનોને ઉત્તર આપતાં મારા પરમતારક ગુરુદેવશ્રીએ કહ્યું : ‘પ્રવચનો બંધ નહિ કરી શકાય, પ્રવચનો તો ચાલુ જ રહેશે !’ પણ ‘આપે અમારી વાત ધ્યાનમાં લીધી ?’‘તમારી વાત ધ્યાનમાં લીધા પછી જ આ ઉત્તર આપ્યો છે.’ ‘શું આપનો આ જ નિર્ણય છે ?’ ‘હા, એમાં કોઈ ફ૨ક નથી’ ‘તો અમે એવી જાહે૨ાત ક૨શું કે કોઈ પ્રવચનમાં જ નહીં આવે.’ ‘એનો અમને ક્યાં વાંધો છે કોઈ નહીં આવે તો અમે અમારા સાધુઓને સંભળાવશું. ‘તમારી પાસે અમારું કોઈ સ્થાન ખરું કે નહીં ?’ ‘સાધુ પાસે તમારું સ્થાન જરૂર છે, પણ તે સાધુના ચરણોમાં, એથી વિશેષ ક્યાંય નહીં.’‘તો હવે અમે અહીંના ૨ક્ષણની વ્યવસ્થા નહિ કરી શકીએ’ ‘એમાં ચિંતાનું કોઈ કારણ નથી. અમે સાધુઓ ક્યારેય કોઈના રક્ષણ ઉપર જીવતા નથી. અમારી રક્ષા પ્રભુના શાસનના સહારે થતી હોય છે. એ મુદ્દે તમે નિશ્ચિંત રહેશો. તમે તમારા બધા - ૨- નિયાળારહિત, ૨ - વારમનવાહા, રૂ - પૂર્વ સે રોમાંચિત बना हुवा श्रावक गुरु की, संघ की, साधर्मिक आदि की भक्ति से पूजा રેં। भक्तपचक्खाण Jain Education International પ્રવચન-૩ : જિનાજ્ઞા અને ધર્મશાસ્ત્રોનું મહત્ત્વ ૧૨૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy