SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ખ્યાલ ન આવે તો કહેતા કે “આ વસ્તુ અમુક આચાર્ય ભગવંતે આમ કહી છે, આપે પણ અમુક સમયે આમ કહેલી છે. આજે આપ આમ કહો છો; તો ભગવંત ! એનો મેળ બેસતો નથી. તત્ત્વ શું છે ? અને આ રીતે અમને ઠેકાણે લાવતા. મારા પરમતારક ગુરુદેવ તો કહેતા કે બહુશ્રુત શ્રોતા એ વક્તાની લગામ છે. વક્તા જરાક શાસ્ત્રની ધુરાથી આગળ પાછળ થાય કે એ એને તરત અટકાવે, સીધા માર્ગે ચલાવે. આજે એવા શ્રાવકો જોવા ક્યાં મળે ? ઘણા તો કૃત ત્તિ પાપન માની સાંભળી લે કે વાવવા પ્રમાણમ્ કરીને સ્વીકારી લે. સમજીને સ્વીકારનારા કેટલા ? ધર્મક્ષેત્રનો વહીવટ કરવા માટે શુશ્રુષા વગેરે બુદ્ધિના જે આઠ ગુણોની જરૂર છે, તેનું સ્વરૂપ પહેલાં સમજી લઈએ. તે પછી તે અંગેનો જરૂરી વિમર્શ કરીએ : (૧) પહેલો ગુણ છે શુશ્રુષા : શુશ્રુષા એટલે સાંભળવાની તીવ્ર ઈચ્છાલગની-તાલાવેલી-તલપ. વ્યસની માણસને વ્યસનની જેવી તલપ હોય તેવી ધર્મને ધર્મશ્રવણની તલપ હોય છે. તક મળે કે તરત દોડી જાય. આજે મોટે ભાગે ધર્મક્રિયા માત્ર વ્યવહારથી દેખાદેખીથી જ થાય છે, એથી વિશેષ કશું હોતું નથી. પહેલાં તો તત્ત્વ જાણવાની ઈચ્છા-શુશ્રુષા હોવીપ્રગટવી જોઈએ. (૨) શુશ્રષા પછી શ્રવણ આવે છે. જેના હૈયામાં સાચી શુશ્રુષા હોય તે તક મળે ત્યારે શ્રવણ કર્યા વિના રહે જ નહિ. આ શ્રવણ કરનાર ધર્મનું શ્રવણ કેવી રીતે કરે, તે જણાવતાં સમકિતની સડસઠ બોલની સક્ઝાયમાં લખ્યું છે કે - “તરુણ સુખી સ્ત્રી પરિવર્યો રે, ચતુર સુણે સુરગીત; તેહથી રાગે અતિ ઘણે રે, ધર્મ સુણ્યાની રીત.” કોઈનવયુવાન હોય,પૈસેટકે અને માનસિકરીતે પણ સુખી હોય,પાસે પ્રીતિપાત્ર એવી સ્ત્રી બેઠી હોય,સ્વયં પોતે સ્વર-સંગીતની અભિરુચિ અને જ્ઞાન ધરાવતો હોય દાદા: કમાવી શકાય. મારા દાદા છે કે, બના देवद्रव्य एवं साधारण द्रव्य को जो मुग्धमति जीव स्वयं के उपयोग में लेता है, वह धर्म को जानता नहीं अथवा उसने नरक का आयुष्य बांध लिया है। - संबोध प्रकरण * * * * * * * * * * * * . કપ '' છે. પ્રવચન-૨: સંઘ સંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૧૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy