SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ તૃષ્ણવર્ગ ૧૧૫ પોતે કરેલી જાળમાં કોળિયો ફસાય છે તેમ, જેઓ રાગમાં રાચેલા છે તેઓ પોતે ઊભા કરેલા આ પ્રપંચમ પ્રવાહમાં ફસી પડે છે. આસક્તિ વગરના ધીર પુરુષો એને પણ છેદીને તમામ દુખોને તજી દઈને ચાલી નીકળે છેત્યાગી બને છે. ૧૪ પહેલાંનું હોય તે તજી દે, પાછલું હોય તે તજી દે, અને વચલું હોય તે પણ તજી દે–આ રીતે ચારે બાજુ બધું તજી દઈને સંસારને પેલે પાર જનારે થા. મનને તદ્દન મુક્ત રાખીશ, તો જમ–જરાના ફેરાને ફરી વાર પામીશ નહિ. ૧૫ જે દષ્ટિ વિશે ટિપ્પણ કરેલું છે, તે દષ્ટિ કેળવવા માટે ઘર છેડીને એક વાર તો ચાલી નીકળવું જ રહ્યું; એટલે “સંન્યાસી, ભિક્ષુ કે ફકીર થઈને વર્તવું' કે “ઈચ્છાપૂર્વક ગરીબી સ્વીકારીને રહેવું? એ અર્થમાં અહીં “ચાલી નીકળવું' શબ્દનો પ્રયોગ છે. એ દૃષ્ટિ કેળવાયા પછી લોકોથી તદ્દન અલગ પડી જઈ ચાલી નીકળવાનો ખાસ કશો અર્થ નથી અને તેથી મોટે ભાગે સ્વપરને લાભ પણ નથી; ઊલટું એ દષ્ટિ બરાબર કેળવાયા પછી લેકેના સંપર્કમાં રહી સામૂહિક સ્વસ્થતાની પ્રવૃત્તિ પિતાની મર્યાદા આંકીને કરવી જોઈએ અને એમ કરવાથી જ સ્વપરને લાભ થાય છે તથા એ દૃષ્ટિ કેળવવાનું પ્રયેાજન પણ એ જ છે. નહિ તે પછી અજ્ઞાન સમૂહને હાનિ થાય છે, સમાજનું દેવું માથે ચડે છે અને કેટલીક વાર પોતાની જાતને પણ હાનિ થાય છે. આ હકીક્ત ગંભીરપણે વિચારવા જેવી છે. ૪ પહેલાંનું–એટલે ભૂતકાળની તૃષ્ણ, પાછલું–ભવિષ્યકાળની તૃષ્ણ અને વચલું – વર્તમાનકાળની તૃષ્ણ : એ જ પ્રમાણે, છેલ્લા બ્રાહ્મણવર્ગની ૩૯ મી ગાથામાં આવેલા આગળ, પાછી કે વચ્ચે શબ્દોના અર્થો સમજવાના છે. આ બન્ને ગાથાઓના શબ્દો અને ભાવ સાથે સરખાવી શકાય એવું આચાર કાળની બહાણ અર્થે સમજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy