SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ દાનહાનિંશિકા/બ્લોક-૨૮ હોય તો તે દાન આપવાની ક્રિયા અનુચિત છે; કેમ કે તે દાનમાં અનુકંપાબુદ્ધિ હોવા છતાં અસંયમી સાધુના દોષોનું પોષણ પણ છે. તેથી તે દાનથી અસંયમી સાધુનું અહિત થશે. માટે તે દાનની ક્રિયામાં પારમાર્થિક અનુકંપા નથી. પરંતુ (૧) શાસનના ઉડાહના નિવારણ માટે જ્યારે અનુકંપાદાન કરવામાં આવે તો તે પારમાર્થિક અનુકંપા બને, અથવા (૨) લોકોને બીજાધાનનું કારણ હોય તેવું દાન કરવામાં આવે તો તે પારમાર્થિક અનુકંપા બને, અથવા (૩) યાચકને ભગવાનના શાસન પ્રત્યે થતા ઢષના નિવારણ માટે દાન કરવામાં આવે તો તે પારમાર્થિક અનુકંપા બને. જે અનુકંપાદાનથી તેવું કોઈ ફળ ન પ્રાપ્ત થતું હોય અને સામેની વ્યક્તિના દોષ પોષાતા હોય તો તે અનુકંપા પારમાર્થિક અનુકંપા નથી. જેમ પ્રમાદી સાધુને દાન આપીને તેના દોષની પુષ્ટિ થતી હોય અને તે દોષોની પુષ્ટિના કારણે તે સાધુ વિશેષ પ્રકારનાં કર્મ બાંધતો હોય, આમ છતાં તેની ઉપેક્ષા કરીને દાન આપવામાં આવે તો આપનારના હૈયામાં દાન આપવાનો પરિણામ હોવાથી સ્થૂલથી અનુકંપાનો ભાવ છે, તોપણ પરમાર્થથી અનુકંપાનો ભાવ નથી, પરંતુ તે સાધુના અહિતને અનુકૂળ પ્રવૃત્તિ છે. જેમ - માછીમારને માછલાં પકડવા માટે દયાથી પ્રેરાઈને કોઈ વ્યક્તિ તેને જાળ અર્થે પૈસા જોઈતા હોય તો આપે અને વિચારે કે “જો હું આ માછીમારને પૈસા નહીં આપે તો તે પોતાની આજીવિકા જાળ વિના કઈ રીતે કરશે ?' આવી અનુકંપાબુદ્ધિથી તે દાન કરે તો તેમાં સ્વનો કોઈ સ્વાર્થ નથી અને સ્વધનનો ત્યાગ છે, તેથી પુણ્ય તો બંધાય, પણ તે તુચ્છ પુણ્ય બંધાય છે; પરંતુ પેલો માછીમાર મહાઆરંભ કરશે અને જે અનર્થ થશે તેમાં જાળને દાનરૂપે આપનાર વ્યક્તિને અનુમોદનાનો પરિણામ હોવાથી તે દાન મહાપાપનું કારણ બને છે. તેથી આવા સ્થાનમાં કરાયેલી અનુકંપા અનુકંપા જ નથી, પરંતુ પારમાર્થિક રીતે તેમાં દોષની પોષતા છે. તેમ જે સાધુઓ શિથિલ પરિણામવાળા છે, છતાં શ્રાવક તેની ઉપેક્ષા કરીને અનુકંપાબુદ્ધિથી તેઓને દાન આપ્યા કરે અને અસંયમી સાધુના દોષો પોષાયા કરે, તો તે દાન તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy