SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ પ્રથમાદિ ક્ષારપુટ વગર ચરમ સારપુટ પ્રાપ્ત ન થાય, અને ચરમ ક્ષારપુટની પ્રાપ્તિ વગર રત્નની શુદ્ધિ થાય નહિ, તેમ પ્રથમાદિ વ્યવહારની ક્રિયાઓથી આત્માની શુદ્ધિ થયા પછી મહાધ્યાનરૂપ ચરમ ક્રિયા આત્માના શોધનનું કારણ બને છે. તેથી જેમ આત્માની શુદ્ધિમાં ચરમ ક્રિયા સાક્ષાત્ કારણ છે, તેમ પ્રથમાદિ ક્રિયા પરંપરાએ કારણ છે. ગુખધારાવૃદ્ધિ સર્વ પ્રમાણ - ગુણધારાની વૃદ્ધિથી સર્વ પ્રમાણ છે=પ્રથમ ક્રિયાથી પ્રાથમિક ગુણધારા પ્રગટે છે, અને ઉત્તર ઉત્તરની ક્રિયાથી તે તે ગુણધારાની વૃદ્ધિ થાય છે; અને તે ગુણધારાની વૃદ્ધિ તે તે ક્રિયાઓથી પ્રગટ થઈને પૂર્ણ શુદ્ધ આત્માને પ્રગટ કરે છે. તેથી આત્માની શુદ્ધિ પ્રત્યે પ્રથમથી માંડીને ચરમ પ્રકારની ક્રિયા સુધીની સર્વ ક્રિયાઓ કારણરૂપે પ્રમાણ છે. - પદ ગ....વોલ્યા- TI૬૮Tી - એ જ અભિપ્રાયથી=રત્નશોધકના દૃષ્ટાંતથી “આત્મશોધક વ્યવહાર છે” એ જ અભિપ્રાયથી, યોગવાસિષ્ઠ ગ્રંથમાં દાસૂરઋષિએ રામચંદ્ર પ્રતિ કહ્યું છે, તે આગળની ગાથામાં બતાવે છે. પદા ચોપઇ: सतुषपणुं जिम तंदुले घj, श्यामपणुं त्रांबानिं घणुं । क्रिया विना न विनासइ पुत्र !, जाणि पुरुषमल तिम अपवित्र ।।५९।। ગાથાર્થ : જેમ તંદુલમાં સતુષપણું ફોતરાસહિતપણું ઘણું અને ત્રાંબામાં શ્યામપણું ઘણું ક્રિયા વગર વિનાશ પામે નહિ, તેમ હે પુત્ર! અપવિત્ર પુરુષમલ તું જાણ. પિતા . • અહીં તંદુલમાં સતુષપણું ઘણું છે એમ કહ્યું. ત્યાં ઘણું કહેવાથી એમ કહેવું છે કે ચોખા ઉપર વગર પ્રયત્ન નીકળે તેવાં ફોતરાં નથી, પરંતુ ઘણા પ્રયત્ન નીકળે તેવાં ફોતરા છે, તેથી તેને શોધન માટે ક્રિયાની જરૂર પડે છે. બાલાવબોધ : सतुषपणुं-फोतरासहितपणुं, जिम तंदुलतj-व्रीहितणुं; त्रांबाभाजनघj-घणेरुं श्यामपणुं-मलिनपणुं; कंडन-मार्जनप्रमुख क्रिया विना हे पुत्र Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy