SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ ભાવાર્થ : રત્નાદિકમાં આગંતુક મલ હોય છે ત્યારે રત્નાદિક પુદ્ગલમાં અશુદ્ધિ છે, અને શોધનક્રિયા પછી તે રત્નમાં શુદ્ધિ છે, એ પ્રકારનો વ્યવહાર પૂર્વપક્ષી કરે છે; અને આત્માને સાધના પૂર્વે અશુદ્ધિ છે, અને સાધના પછી શુદ્ધિ છે, તેમ માનતો નથી; અને આત્મા ફૂટસ્થ નિત્ય છે એમ કહીને સદા શુદ્ધ સ્થાપન કરે છે, એ પૂર્વપક્ષીની કુબુદ્ધિ છે. પણ અવતરણિકા : પૂર્વગાથા-૫૭માં રત્નના દૃષ્ટાંતથી આત્મામાં શુદ્ધિ-અશુદ્ધિનું સ્થાપન કરીને આત્મા કૂટસ્થ નથી તેમ સ્થાપન કર્યું. હવે માત્ર શુદ્ધતાના જ્ઞાનથી અશુદ્ધતાનો ભ્રમ ટળે છે, બાકી વાસ્તવિક આત્મા શુદ્ધ છે, એ પ્રકારની પૂર્વપક્ષીની માન્યતાનું નિરાકરણ કરવા માટે, રત્નશોધન માટે જેમ ક્ષારાદિ દ્રવ્યોથી ક્રિયા કરવામાં આવે છે, તેમ આત્માના શોધન માટે ક્રિયારૂપ વ્યવહાર આવશ્યક છે, એ બતાવતાં ગ્રંથકાર કહે છે – ચોપાઇ : रतनशोध जिम शतपुटखार, तिम आतमशोधक व्यवहार । गुणधाराइ अखिल प्रमाण, जिम भाषइ दासूर सुजाण ।।५८।। ગાથાર્થ : સો વાર ક્ષારપુટથી જેમ રત્નનું શોધન થાય છે, તેમ આત્માનો શોધક વ્યવહાર છે. ઉત્થાન : - અહીં પ્રશ્ન થાય કે રત્નની શુદ્ધિ ચરમક્રિયાથી થાય છે, તેમ આત્માની શુદ્ધિ પણ ચરમક્રિયાથી થાય છે, તેથી આત્માની શુદ્ધિ માટેની પૂર્વની વ્યવહારની ક્રિયાઓ પ્રમાણરૂપ નથી; પરંતુ ચરમક્રિયા જ જેમ રત્નની શુદ્ધિ કરે છે, તેમ શુદ્ધાત્માનું ધ્યાન જ આત્માની શુદ્ધિ કરે છે, પૂર્વની ક્રિયાઓ નહિ. અને તેમ સ્વીકારીએ તો શુદ્ધાત્માનું ધ્યાન જ્ઞાનના ઉપયોગસ્વરૂપ છે, તેથી જ્ઞાનથી જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy