SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૮) ભાગવતનો સંદેશ મળે તો તેમને સર્વ સમર્પણ કરજો. એમની સેવા, શુશ્રુષા કરજો. વિષયો, વાસના વધે તેવા સાધનોથી દૂર રહેજો. વાસનાઓને માણસે ખૂબ પોષી છે તેથી તે એમને એમ છૂટતી નથી. સૂર્ય વિકાસી કમળરસનો રસીયો ભ્રમર કમળ ઉપર બેસી તેનો રસ ચૂસે છે. સૂર્યાસ્ત થયેથી કમળ ખીડારો, સાથે ભ્રમર પણ બીડારો. એ વાત જાણતો છતાં ભ્રમર કમળને છોડતો નથી. કમળ બીડાય છે, છતાં તેમાં લપટાયેલો ભ્રમર તેને કોરીને બહાર આવતો નથી. આવું જ વાસનામાં લપેટાયેલા માનવીનું થાય છે. વિષયો દીપક જેવા છે અને તેમાં લુબ્ધ માણસ પતંગિયા જેવો છે. તો સદ્ગુરુ અવશ્ય મળશે જ જ્ઞાની પુરુષો એટલા માટે જ કહે છે કે વાસના વધે તેવી, તેમાં લપટાઇ જવાય તેવી વાતચીત, પ્રસંગથી દૂર રહો. આઘરશંકરાચાર્યજી કહે છે ઃ ‘માણસના દાંત પડી જાય, વાળધોળા થાય, ચાલવામાં તેને તકલીફ થાય, ખોરાક પચે નહિ, ઓછું દેખાય, ઓછું સંભળાય તે પહેલાં ચેતી જઇને તે પ્રભુ મય બને, ધ્યાન કરે, વિષયોથી દૂર રહેવાય તેવા સાધનોનો ઉપયોગ કરે, સેવા, પૂજા, કીર્તન, જપ, ધ્યાન, મંદિર, તીર્થયાત્રા કરતો રહે અને સાથે સાથે સદ્ગુરુ, સત્પુરુષની શોધ કરતો રહે.’ આટલું કરશે તો તેને સદ્ગુરુ, આત્મજ્ઞાની સત્પુરુષ અવશ્ય મળશે જ. . Jain Education International દેહ ઉપર સત્તા પ્રારબ્ધની છે. પ્રારબ્ધના નિયમ પ્રમાણે દેહ મળે છે. જ્ઞાની પુરુષો જ્યારે પ્રારબ્ધની વાત કરે છે ત્યારે તેઓ સાક્ષી હોય છે. અજ્ઞાની પુરુષો પ્રારબ્ધની વાત કરે છે ત્યારે તેઓમાં આસક્તિ હોય છે. મુનિ શ્રી ભાનુવિજયજી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy