SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતનો સંદેશ (૮૦) હતા. છતાં વૈભવ છોડવાનું દુઃ ખ નહોતું. રડયા નહોતાં, અપ્રસન્ન થયા નહોતાં. આવી મૂડી માણસ પાસે હશે તો વિપરીત સંજોગોમાં પણ સરસ, સુંદર, સ્વસ્થ જીવન તે જીવી શકશે. મન શુદ્ધ થાય તો પ્રસન્નતા આપો આપ આવે છે અને તેવા મનવાળાની બુદ્ધિ સ્થિર થાય છે. અને એ યોગ માર્ગની સૌથી પહેલી રારત પણ છે. અંતરમાં નહિરે વિસારું હરિ : ગોપી યમુનામાંથી પાણી ભરી મટકી મસ્તક ઉપર મૂકે છે, ઝડપથી, ચાલે છે છતાં તેના અંતરમાં તો શ્રી હરિ-શ્રીકૃષ્ણ એવા સ્થિર છે કે એ ક્ષણ માટે તેમને વિસારી શકતી નથી, તો કબીરજી કહે છે ઃ ‘એક દિવસ એવો હતો જ્યારે કબીર ‘હરિ’ ‘હરિ’ કરતો હતો. હવે હરિ ‘કબીર’, ‘કબીર' કરે છે. કબીરજીના શુદ્ધ મનનું જ આ કારણ છે. આવું શુદ્ધ મન ધ્યાનના ઉંડાણમાં જઇ શકે છે. હવે કહો આવું મન જેમાં વિકાર ન હોય, ચોખ્ખું જ હોય તે અપ્રસન્ન કેવી રીતે હોય ? અને તેથી જ રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ કે કોઇ પણ આત્મજ્ઞાની સંતનો ચહેરો ક્યારેય, ચઢેલો નથી હોતો. ગોપી તો કહે છે : ‘અંતરમાં નહિ રે વિસારું હરિ.’ શું હોય તો ધ્યાન લાગે ? ધ્યાનમાં જવું છે તો પ્રસન્ન રહો. જો પરમાત્મનામમાં લીન રહેશો તો તમારું મન અવશ્ય એનામાં લીન થઇ જશે. અને તમારામાંથી માયા ચાલી જશે. શુદ્ધમન, લય પામેલા મન પછી આવે છે. તે મનના સમાઇ જવાની છેલ્લી અવસ્થા. એ થયા પછી મન રહેતું જ નથી. એ પછી તો તેને માયા લાગવાનો સંભવ જ કયાં રહે છે ? જે મળે તેમાં સંતોષ પામો. આ છે પૂર્વ તૈયારી. એ હશે તો પરમાત્મ ધ્યાન જરૂર લાગશે. વિષયોમાં લુબ્ધતા આત્મજ્ઞાની સંતના ચરણોની નિરંતર ભક્તિ કરો. આ ધરતી ઉપર શિષ્ય જન્મે છે ત્યારે અને તેની પહેલાં સદ્ગુરુ જન્મ લેતા જ હોય છે. એવા સદ્ગુરુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy