SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પરીક્ષિતનો પશ્ચાતાપ સંતનું સમાધિ સ્વરૂપ પરીક્ષિતનો રાજયાભિષેક કરીને પાંડવો હિમાલયમાં હાડગાળવા (દેહનો ત્યાગ કરવા) ચાલી નીકળ્યા. રાજા બન્યા પછી પરીક્ષિતને રાજ્ય વધારવાનો મોહ થયો. અહમ્, મમત્વ, મૂછ અને આસક્તિનો વિસ્તાર છે મોહ. એક દિવસ રાજા શિકાર કરવા નીકળ્યા. જે રાજા દુરાચાર, મદિરાપાનથી બચ્યા તે શિકારથી ન બચ્યા. આ પ્રવૃત્તિકૂર છે, દુષ્ટ છે. તેમાંથી આનંદ લેવાને બદલે જીવ રક્ષણના કાર્યમાં પડવા જેવું છે. સુખ મેળવવું પણ બીજાને પીડાન આપવીતેવો સિદ્ધાંત અપનાવવા જેવો છે. કારણ તુલસી હાય ગરીબકી કભીન ખાલી જાય’ ગરીબ એટલે કે નબળાને પીડા આપવી એટલે એની હાય લેવી. “હાય” પીડા આપનારનું મોટું નુકસાન કરે છે. જો આટલો જ ખ્યાલ માણસ કાયમ રાખે તો બળવાન માણસ નબળાને, સાસુ વહુને ત્રાસ નહિ આપે. રાજા જંગલમાં ઘણે દૂર પહોંચ્યા ત્યાં તેમને તરસ લાગી. આજુ બાજુ નજર નાખતાં થોડે દૂર એક કુટીર દેખાઈ. ત્યાં જઈ જોયું તો આંગણામાં જ એક મુનિ આસન લગાવી, એકાગ્ર બનીને ધ્યાનમાં એવા સ્થિર થઇ ગયા હતા કે ત્યારે જો કોઇ હરણ ત્યાં આવે તો એમને ઝાડનું દૂઠું સમજીને પોતાની પીઠ તેમના શરીર સાથે ઘસે. ઋષિ ઇંદ્રિયો, પ્રાણ, મન અને બુદ્ધિનો નિરોધ કરીને નિદ્રા, સ્વપ્ન અને જાગૃત અવસ્થાથી પર થઈને પરમાત્મામાં સ્થિર થયા હતા. પરમાત્મા સાથે એમનો તાર એવો તો જોડાઈ ગયો કે એ સ્થિતિમાં દિવસો પસાર થઈ ગયેલા - અને તેમનું શરીર પણ પોષણ વિના કૃશ થઈ ગયું હતું. એવા મુનિ પાસે રાજાએ પાણી માંગ્યું. પોતાના સ્વરૂપમાં લીન મુનિએ રાજાનો અવાજ ન સાંભળ્યો, ન તેમણે આંખો ખોલી, ન તેમણે રાજાનો સત્કાર કર્યો કે ન રાજાને આસન આપ્યું. રાજા મુનિની અવસ્થાને ન સમજી શક્યા. ખરેખર તો સાધુ ધ્યાનમાં ન હોય તો આવનારને આવકાર આપે, પણ તેમની પાસે જનાર એવી અપેક્ષા ન રાખે, કેમ કે સાધુ પોતાનામાં લીન હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy