SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ( ભાગવતનો સંદેશ શરીર, કપડાં શુદ્ધ કરવાં સાબુ જોઈએ તેમ બુદ્ધિ શુદ્ધ કરવા સત્સંગ જોઈએ. સત્સંગ બુદ્ધિમાંથી મેલ-વાસના-કાટતો જાય છે ને બુદ્ધિ શુદ્ધ થતી જાય છે. પરમાત્મકૃપા વિના સંત મળતા નથી. ભક્તિમાર્ગ સરળ, સુલભ દેખાતો હોવા છતાં અત્યંત કઠિન છે કેમ કે તેમાં ફતપણાનો અહંકાર સૌ પ્રથમ છોડવાનો છે. સાથે માલિકીભાવ પણ છોડવાનો છે અને પરમાત્માનું માલિકીપણું સ્વીકારવાનું છે. જીવન લાંબુ પણ અજ્ઞાન, વાસના, અર્થોપાર્જન માટે હોય તો શા કામનું? સ્થિર આસન, સમશ્વાસ, આસક્તિ છોડવી, ઈંદ્રિયો ઉપર કાબુ મેળવવો એ ભગવાનના સાકાર સ્વરૂપમાં મનને જોડવાનાં ઉત્તમ સાધન છે. સાધકે તમામ સાધના પ્રકૃતિનો ક્ષય કરવા માટે જ કરવાની છે. માણસે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, રાગ-દ્વેષ કરીને પોતાના મન ઉપર તેના સંસ્કાર પાડયા છે. તે પ્રકૃતિને એવી તો ઢ કરી છે કે તે આત્માનું એક અંગ બની ગઈ છે ને મૃત્યુ પછી પણ માણસ તેને સાથે લઈ જાય છે. બીજા શરીરમાં પણ તેની સાથે જ રહે છે અને પરમાત્મ-પ્રાપ્તિમાં અવરોધ કરતી રહે છે. આત્મદેવ પૂર્ણ શક્તિ સાથે અંદર જ બેઠા છે. માણસે પ્રકૃતિદત્ત વિકારોને દૂર કરી એની પાસે જવાનું છે. અજ્ઞાન જ્ઞાન વડે જાય, જ્ઞાન સત્પષ દ્વારા જ મળે, સત્પષ ભક્તિથી મળે. માટે સૌ પ્રથમ ભક્તિથી સત્પષ પાસે જઈ અજ્ઞાનને કાઢો. અજ્ઞાન એટલે અભાન. જ્ઞાન એટલો રવરૂપનું ભાન. | માણસ પદાર્થ, પરિસ્થિતિ, સંયોગ બદલવાની ને અધ્યાત્મ માણસને બદલવાની વાત કરે છે. ક્ષમા રવભાવ છે તેથી તેમાં રહેવું તે ધર્મ છે. એમાં જીવન પર્યત રહી શકાય. ઈર્ષા, ક્રોધ, લોભ એ વિકાર છે, વિભાવ છે. એ સ્વભાવ નથી, ધર્મ નથી પણ અધર્મ છે. વળી એ ભાવમાં સતત રહી શકાતું પણ નથી. મૃત્યુ સમયે શું કરવું? મરણનો ભય ન રાખવો, યોગમાં મરવાનું. ઓમનો જાપ કરવો. સાચું સુખ અંદર છે તેનું માણસને વિસ્મરણ થયું છે. તે સ્મરણ થાય અને સાચા સુખ તરફ જવાય તેની એક માત્ર પદ્ધતિ ધર્મ છે. તારીખ : 21-12-2009 સાધ્વી પ્રિયદર્શનાશ્રીજી મહારાજ 'વિનોદ પ્રિન્ટરી, પાટણ. મો. 9898506011 Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org,
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy