SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતનો સંદેશ (૧૭) અનુભવ પણ આ જ વાત કરે છે. માટે સકામ કર્મમાં ફસાયેલા માણસો કર્મનું વિપરીત પરિણામ જાણીને ફરીથી વિચાર કરે કે : “ધન પ્રાપ્ત કરવું સહેલું નથી, મળ્યા પછી સાચવવું સહેલું નથી અને મૃત્યુ પછી એ ધન અને તેનાથી મેળવેલા પદાર્થો સાથે લઈ જવાતા નથી. ધન, ઘર, વ્યક્તિઓ કે અન્ય પદાર્થો નાશવંત છે. તો એ કેવી રીતે સુખ આપી શકે? અને સ્વર્ગની પ્રાપ્તિ થાય તો તે પણ પુણ્યનો ક્ષય થયેથી કાળે કરીને જાય છે. માયામુક્ત બ્રહ્મને પામે નિમી રાજાને નવ યોગીશ્વરોના બોધથી ખાત્રી થઇ ગઇ કે પરાત્પર બ્રહ્મને પ્રાપ્ત કરવા જોઇએ. એ પ્રાપ્તિ આ માનવ દેહમાં જ થઈ શકે છે. તેનો ઉપાય છે માયાથી મુક્તિ મેળવવી તે. માયા મુક્ત થવાની પ્રકિયા એટલે સાધના હવે કરવાની છે. જેમ વાસણ ઘસીએ છીએ ત્યારે ઉપરનો મેલ જતાં વાસણ ઊજળું બને છે. એટલે કે ખરેખર તો મેલ ઘસીએ છીએ. એ જ રીતે માયાને ઘસીને કાઢવાની છે. એ માટે સર્વ પ્રથમ મનની શુદ્ધિ કરવાની છે. સત્કર્મ મન શુદ્ધિ કરે સકામ કર્મથી મન શુદ્ધિ થતી નથી. એ માટે નિષ્કામ કર્મ કરવું જોઇએ. સાથે તત્ત્વનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવું જોઇએ. એમ કરવાથી ચિત્ત શુદ્ધિ થાય છે. ભૌતિક અપેક્ષા રાખીને થતું કર્મ કદાચ સફળ થાય પણ તેનાથી અંતઃકરણમેલું થાય છે. વળી મનમાં એવો વિચાર આવે કે જો બદલાની આશા જ ન રાખવાની હોય તો કર્મ શા માટે કરવું ? એ વિચાર બરાબર નથી. કેમકે અંતઃકરણની શુદ્ધિનો વિચાર કરી સત્કર્મ કરાય તો અંતઃકરણ શુદ્ધ તો થાય જ, ઉપરાંત પુણ્યવૃદ્ધિ થાય અને પાપ નષ્ટ થાય. ભલે એ મેળવવાની સત્કર્મ કરનારને અપેક્ષા જ ન હોય. જેમ તલ, એરંડા પીલવાથી તેલ સાથે ખોળ મળે છે. એવો માણસ બ્રહ્મ તરફ જ જાય માનવ દેહ, પાંચે ઇન્દ્રિયોની પૂર્ણતા અને સરળતાથી આજીવિકા પ્રાપ્ત થવી એ પુણ્યથી થાય છે. શરીર, ઇંદ્રિયો અને મનથી જ સાધના કરીને, નિષ્કામ કર્મ કરીને અંતઃકરણ શુદ્ધિ તો કરાય જ. મૃત્યુ પછી સ્વર્ગ મળે તો પણ અંતઃકરણ શુદ્ધ હોવાથી તેમાં આસક્તિ થતી નથી. એવો માણસ જીવનમાં દુરાચાર ન કરે કે ભોગોમાં ન ડૂબે અને ધીરે ધીરે બ્રહ્મ તરફ જ જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy