SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ - - - (૧૬) ભાગવતતો સદેશ તેમને આત્મા વિષે પ્રશ્ન કરો. અહંકાર ઓગળવો અઘરો છે અને અહંકાર નમ્ર થવા દેતો નથી. અહંકારી માણસ સંસાર છોડી સાધુ બને તો પણ તેનામાંથી અહંકાર જતો નથી અને નમ્ર બનતો નથી, પરિણામે પોતે આત્મા છે તેવો નિશ્ચય થતો નથી. કામના પૂરી થતી જ નથી - નરસિંહ મહેતાએ કહ્યું: ‘જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્યો નહિ ત્યાં લગી સાધના સર્વ જૂઠી.” ચિન્યો એટલે ચિંતન થયા પછી તેનો અનુભવ થવો. આત્માનો નિશ્ચય થાય પછી વચ્ચે આવે છે કર્મ એટલે માયા. એ દૂર કરવાનો ઉપાય કરવાનો છે. યોગીશ્વર કહે છે : “લોકો કામનાઓથી બંધાયેલા છે. બંધન પદાર્થમાં કે વ્યક્તિમાં નથી પણ કામના એટલે આકાંક્ષામાં છે. માણસે એ વિચાર કરવા જેવો છે કે એણે જે પહેલી કામના કરી હતી. તે ક્યારે પૂરી થઇ? તેનો જવાબ એ હશે કે : “એ કામના હજુ સુધી પૂરી નથી થઈ. તો હવે કહો બીજી કામનાનો વારો ક્યારે આવશે? કામના નથી એ શાંતિ મેળવે ભગવદ્ગીતા કહે છે: “જે માણસ પ્રત્યેક કર્મને બાળીને ભસ્મ કરે છે તે શાંતિ મેળવે છે. એટલે કે બધી કામનાઓથી મુક્ત બને છે. કામનાઓથી બંધાયેલો આત્મા અનેક પ્રકારના કર્મો કર્યા કરે છે. તેમાં સત્કર્મો હોય અને દુષ્કર્મો પણ હોય છે. માણસ એટલી બધી પ્રવૃત્તિ કરે છે કે તેની પાસે આત્મા વિષે સમજવાનો, તેના વિષે કંઈ કરવાનો સમય જ નથી. આવા માણસો નિરાંતે ખાતા પણ નથી. ખૂબી જુઓ. ખેતરમાં વહેલી સવારથી મહેનત કરતો ખેડૂત જમવાનો સમય થયે માટી ઉપર બેઠો-બેઠો ‘ભાત’ની રાહ જુએ છે. તેની મા, બહેન, ભાભી કે પત્ની ભાત લઈને આવે છે. એ ભાતમાંનો રોટલો, મરચું અને ગોળના ટૂકડોને પણ ખૂબ રસથી ખાય છે. એનામાં બીજું ખાવાની કામના જ નથી એથી એ આવી શાંતિ પામ્યો છે. જીવાત્મા અનેક કામનાઓ રાખે છે અને કામ કરે છે. આમ કરવાથી પોતાનું દુઃખ દૂર થશે અને સુખ મળશે તેમ માને છે. પરંતુ પરિણામ એની માન્યતા કરતાં વિપરીત જ આવે છે. નાશવંત સુખ ન આપી શકે ધર્મશાસ્ત્રો, સંતો તો કામના નહિ કરવાનું કહે છે પણ માણસનો પોતાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy