SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬] ચોથા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ સિંહ છે, અને આ ઔપચારિક મનુષ્ય વિશેષ જે (માણવક) સિંહ જેવો છે. વળી આ ઘટ-પટાદિ કાર્ય છે, અને આ મૃપિંડાદિ કારણ છે. આ અનિત્યતા વગેરે સાધ્ય છે, અને આ કૃતકપણું વગેરે સાધન છે. કુંભકાર આદિ ઘટ વગેરેના કર્તા છે, આ વક્તા છે, આ ત્રિઅવયવી-અથવા પંચાવવી વચન છે. તથા આ શબ્દસમૂહનું આ વાચ્ય છે, આ સ્વપક્ષ છે, આ પરપક્ષ છે - ઈત્યાદિ વ્યવહારની વિશેષતા શૂન્યતામાં નિયત શાથી જણાય ? વળી પૃથ્વી વગેરેનું સ્થિરપણું, પાણી વિગેરેનું દ્રવપણું (પ્રવાહીપણું) અગ્નિની ઉષ્ણતા, વાયુની ચપળતા, આકાશનું અમૂર્તિપણું વગેરે હંમેશના નિયત સ્વભાવો; તેમજ શબ્દ-રૂપ-ગંધ વગેરે ગ્રાહ્ય છે, અને શ્રોત્ર-ચક્ષુ-ઘાણ વગેરે ઈન્દ્રિયો તેના ગ્રાહક છે - ઈત્યાદિ નિયમની સિદ્ધિ સર્વ શૂન્યતામાં કેવી રીતે થશે ? અથવા સર્વ-શૂન્યતામાં સ્વપ્ન-અસ્વપ્ન, સત્ય-અસત્ય વગેરેના તફાવતનું કારણ ન હોવાથી, જેવું સ્વપ્ન, તેવું અસ્વપ્ન અને જેવું અસ્વપ્ન તેવું જ સ્વપ્ન એમ સર્વમાં સમાનતા કેમ ન થાય ? અથવા જે સ્વપ્ન હોય, તે અસ્વપ્ન અને અસ્વપ્ન હોય તે સ્વપ્ન ઈત્યાદિ વિપર્યય પણ કેમ ન થાય ? તેમજ સર્વ-શૂન્યતામાં સ્વપ્ન-અસ્વપ્ન વગેરે સર્વનું અગ્રહણ કેમ ન થાય ? બ્રાન્તિથી સ્વપ્ન-અસ્વપ્ન આદિનું ગ્રહણ થાય છે, એમ કહેતો હોય, તો તે અયુક્ત છે, કારણ કે દેશકાળ-સ્વભાવ વગેરે નિયત હોવાથી તે તે પદાર્થ ગ્રહણ કરનાર જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. વળી સ્વપ્ન-અસ્વપ્ન આદિનાં ગ્રહણમાં કારણ તરીકે જે તું ભ્રાન્તિ કહે છે તે બ્રાન્તિ વિદ્યમાન છે કે અવિદ્યમાન છે ? જો વિદ્યમાન હોય, તો સર્વ-શૂન્યતા ક્યાં રહી ? અને ભ્રાન્તિ અવિદ્યમાન હોય, તો પદાર્થ ગ્રહણ કરનાર જ્ઞાન બ્રાનિરહિત હોવાથી સર્વ ભાવો વિદ્યમાન છે પણ સર્વશૂન્યતા નથી. અથવા આ સંબંધમાં તને બીજું પૂછું છું કે સર્વ-શૂન્યતા માનવામાં, વિદ્યમાન પદાર્થોની શન્યતા માનવી, એ શું સમ્યક સદગ્રહ છે ? અને વિદ્યમાન પદાર્થોની વિદ્યમાનતા માનવી એ શું મિથ્યાગ્રહ છે? આ પ્રમાણે માનવામાં તારી પાસે વિશેષ હેતુ ક્યો છે, કે જેથી તું સર્વશૂન્યતા માને છે ? તથા “પદાર્થોની સિદ્ધિ સ્વતઃ નથી” ઈત્યાદિ માનવામાં, હ્રસ્વ-દીર્ઘ-અને હ્રસ્વદીર્ઘ સ્વરૂપવાળા પદાર્થમાં, આ હ્રસ્વ છે, આ દીર્ઘ છે. અને આ હૃસ્વદીર્ઘ છે એ પ્રકારની બુદ્ધિનો તું એકી સાથે આશ્રય કરે છે, તો પછી તેવા પદાર્થની પરસ્પર અસિદ્ધિ કેવી રીતે કહે છે ? કેમકે સર્વ પદાર્થની શૂન્યતા કહે છે, અને તે સાથે આ હૃસ્વ છે, આ દીર્ઘ છે, ઈત્યાદિ પણ કહે છે - એમ પૂર્વાપર વિરૂદ્ધ બોલવું સર્વથા અયુક્ત છે. તાત્પર્ય એ છે કે પદાર્થોની સત્તામાં માત્ર અપેક્ષા કારણ છે, એમ નહીં, પણ તે સાથે સ્વવિષયજ્ઞાન ઉત્પન્ન કરવારિરૂપ અર્થક્રિયાકારીપણું પણ કારણ છે. અને તેથી જે સ્વ-દીર્ઘ ઉભય તે સ્વસંબંધી જ્ઞાન ઉત્પન્ન કરે છે, તે હોય છે જ. એટલે તેમનો અભાવ કેવી રીતે મનાય? અને વળી મધ્યમ અંગુલીની અપેક્ષાએ, પ્રદેશની અંગુલીમાં હૃસ્વપણું નહીં છતાં પણ છે, એમ કહેવાય છે ઈત્યાદિ જે તું માને છે, તે પણ અયોગ્ય છે, કારણ કે જો મધ્યમ અંગુલીની અપેક્ષાએ પ્રદેશની અંગુલી સ્વતઃ સર્વથા અવિદ્યમાન છતાં પણ તેમાં હ્રસ્વપણું છે, એમ હોય તો પછી ગધેડાનાં શીંગડાં કે જે સર્વથા અવિદ્યમાન છે, તેમાં પણ હ્રસ્વપણું હોવું જોઈએ, અને અતિદીર્ઘ એવા ઈન્દ્રધ્વજ આદિમાં પણ તે હોવું જોઈએ. કેમકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy