SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર]. વિશેષવાદિ નયોની સ્વપલ સિદ્ધિ. [૪૧૭ તેમાં હેતુ શો છે? તીર્થંકર પ્રત્યે ભક્તિ કરવી તે નમસ્કાર છે. તે ભક્તિ સર્વદા છે તો તે મિથ્યાત્વ અવસ્થામાં કેમ નથી જણાતો ? ૨૮૦૮ થી ૨૮૧૧. આઘનૈગમનય સત્તામાત્રગ્રાહી હોવાથી તેના મતે સર્વદા સત્ છે - વિદ્યમાન છે. જે સર્વદા સત્ છે, તે આકાશની જેમ કદી ઉત્પન્ન નથી થતું. જો તેનો પણ ઉત્પાદ માનવામાં આવે, પણ ઉત્પાદ થવાના પ્રસંગથી અવસ્થા પ્રાપ્ત થાય. વળી જે નિત્ય વિદ્યમાન છે, તે કદીપણ નાશ પામતું નથી. તેથી આદ્યનૈગમનયના અભિપ્રાયે નમસ્કાર વસ્તુસ્વરૂપ હોવાથી આકાશની જેમ (ઉત્પન્ન થતો નથી અને નાશ પણ પામતો નથી.) નિત્ય વિદ્યમાન છે. માટે આ નયના મતે નમસ્કાર અનુત્પન્ન સ્વરૂપ કહેવાય છે. અહીં કોઈ એમ કહેવા માગે કે જો નમસ્કાર સર્વદા વિદ્યમાન છે, તો તે મિથ્યાત્વદિશામાં કેમ નથી જણાતો ? આના ઉત્તરમાં કહેવાનું કે નમસ્કાર સર્વ અવસ્થાઓમાં વિદ્યમાન છે. પરંતુ અતિશયજ્ઞાની વિના બીજાઓ આવારક કર્મના સદૂભાવથી આત્મસ્વરૂપની જેમ તેને જાણી શકતા નથી. મતલબ કે-જેમ આત્મસ્વરૂપ અમૂર્ત હોવાથી, તે સર્વદા વિદ્યામાન છતાં પણ કેવળી સિવાય બીજા કોઈ તેને જોઇ કે જાણી શકતા નથી, તેવી રીતે નમસ્કાર દ્રવ્યરૂપે મિથ્યાત્વ અવસ્થામાં પણ વિદ્યમાન છે, જો સર્વથા અવિદ્યમાન હોય, તો ગધેડાના શીંગડાની જેમ પાછળ તેની ઉત્પત્તિ ન થાય, માત્ર કેવળજ્ઞાનાવરણથી આવૃત હોવાથી છવસ્થ જીવો જેમ તે નમસ્કારને તે રૂપે જોઈ શકતા નથી. માટે આઘનૈગમનયના અભિપ્રાયે સર્વ વસ્તુ સર્વદા વિદ્યમાન હોવાથી નમસ્કારને અનુત્પન્ન કહેવાય છે. આ સિવાયના બીજા વિશેષવાદી નયો એથી વિપરીત માને છે, તેઓનો અભિપ્રાય એવો છે કે-ઉત્પાદ-વ્યયરહિત વસ્તુ આકાશપુષ્પની જેમ અસ-અવિદ્યમાન છે. અને જે વસ્તુ વિદ્યમાન છે, તે સર્વ ઘટની જેમ ઉત્પાદ-વ્યય અને ધ્રુવસ્વભાવવાળી છે. તેથી ઉત્પાદ-વ્યયરહિત અનુત્પન્ન નમસ્કાર જેઓ માને છે તે અયોગ્ય છે. અનુત્પન્ન નમસ્કાર નથી, માટે તે જણાતો નથી એમ નહિ, પણ જ્ઞાનાવરણકર્મના ઉદયથી તે વિદ્યમાન છતાં પણ સર્વથી જણાતો નથી. એ પ્રમાણે કહેવામાં આવે તો તે કથનમાં પ્રમાણ શું છે ? કંઈ જ નહિ. વસ્તુતઃ તેવા નમસ્કારનો અભાવ હોવાથી જ, તેથી સર્વ જનોથી સર્વદા નથી જણાતો પણ આવરણના ઉદયથી નથી જણાતો એમ નહિ. તીર્થકરાદિક ઉત્તમોત્તમ આત્માઓની ભક્તિ કરવી તે નમસ્કાર કહેવાય છે, તે ભક્તિ સદૈવ હોય છે, એમ કહેવામાં આવે, તો તે પણ યોગ્ય નથી, કારણ કે મિથ્યાત્વ-અવસ્થામાં તે ભક્તિ જણાતી નથી, એટલે એ કથન પણ નિત્ય વિદ્યમાનતામાં વિરોધી છે. માટે ઉત્પન્ન નમસ્કાર છે, પણ અનુત્પન્ન નમસ્કાર નથી, એમ માનવું એજ વધારે સારું છે, આવરણાદિની કલ્પના કરવાથી શું ફલ ? ૨૮૦૮ થી ૨૮૧૧. પુનઃ આઘનૈગમનયના મતની શંકા કરીને વિશેષવાદીનો પોતાનો પક્ષ સિદ્ધ કરવા માટે કહે છે કે ૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy