SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર]. સમ્યકત્વાદિ સામાયિક વિષે કતિ દ્વાર. ૪િ૦૩ સર્વવિરતિ પામનારા હજાર પૃથકત્વ હોય છે. સમ્યકત્વ અને દેશવિરતિ પામેલા વર્તમાન સમયે ઉત્કૃષ્ટથી અસંખ્યાતા હોય, સર્વવિરતિ પામેલા સંખ્યાતા હોય, અને એ ત્રણે સામાયિકથી પડેલા (એકેકથી) અનન્તગુણા હોય છે. સામાન્ય શ્રુત પામેલા વર્તમાન સમયે પ્રતરના અસંખ્યાતમાં ભાગ જેટલા માત્ર હોય, અને તે સિવાયના શેષ પૃથ્વી આદિ સંસારી જીવો તે સર્વ શ્રતથી પડેલા છે. ૨૭૬૪ થી ૨૭૬૬. વિવેચન - ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગની અંદર જેટલા પ્રદેશો હોય, તેટલા જીવો ઉત્કૃષ્ટથી એક સમયમાં સમ્યકત્વ સામાયિક અને દેશવિરતિ સામાયિક પામનારા હોય છે; પરંતુ તેમાં દેશવિરતિ કરતાં સમ્યકત્વ સામાયિક પામનારા અસંખ્યાત ગુણા હોય છે. અને જઘન્યથી તો એક અથવા બે પામનારા હોય છે. સમચતુરગ્ન ઘનીકૃત લોકની એક પ્રદેશી સાતરાજ પ્રમાણ શ્રેણિના અસંખ્યાતમા ભાગે જેટલા આકાશ પ્રદેશ હોય તેટલા જીવો ઉત્કૃષ્ટથી એક સમયે શ્રુતસામાયિક પામનારા હોય છે. અહીં તે શ્રુત સમ્યકશ્રુત યા મિથ્યાશ્રુતના ભેદરહિત સામાન્યથી અક્ષરાત્મક શ્રુત સમજવું તથા જઘન્યથી એવું શ્રુતસામાયિક પામનારા એક અથવા બે હોય છે. સર્વવિરતિ સામાયિક પામનારી એક સમયે ઉત્કૃષ્ટથી હજાર પૃથકત્વ, (એટલે બે હજારથી નવહજાર પર્યત) હોય છે. અને જઘન્યથી એક અથવા બે હોય છે. સમ્યકત્વ સામાયિક તથા દેશવિરતિ સામાયિક પૂર્વે પામેલા હોય એવા જીવો વર્તમાન સમયે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા હોય છે, પરંતુ જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ વિશેષાધિક હોય છે. આ બન્ને પૂર્વે પામેલા, પામનારા કરતાં અસંખ્યાતગુણા હોય છે. સર્વવિરતિ સામાયિક પૂર્વે પામેલા જીવો સંખ્યાતા હોય છે, તે પણ પામનારા કરતાં સંખ્યાત ગુણા હોય છે. એ ત્રણેથી તે ગુણો પામીને પડેલા જીવો અનંતગુણા છે. તેમાં સમ્યગુદૃષ્ટિ આદિ પામનારા જીવો અને પામેલા જીવો કરતાં ચારિત્રથી પડેલા જીવો અનંતગુણા છે, તે કરતાં દેશવિરતિથી પડેલા અસંખ્યાતગુણા છે, અને તે કરતાં સમ્યકત્વથી પડેલા જીવો અસંખ્યાતગુણા છે. સામાન્ય-અક્ષરાત્મક શ્રત પૂર્વે પામેલા જીવો વર્તમાન સમયે સમચતુરગ્ન ઘનીકૃત લોકના પ્રતરની અંદર અસંખ્યાતી શ્રેણિઓને વિષે જેટલા આકાશપ્રદેશો હોય, તેટલા હોય છે, શ્રુત પામેલા અને પામનારા જીવો સિવાય જે ભાષાલબ્ધિ વિનાના પૃથ્વી કાયાદિ સંસારી જીવો છે, તે સર્વ ભાષાલબ્ધિ પામીને તેથી પડેલા હોવાથી સામાન્ય શ્રુતથી પણ પડેલા જાણવા, કારણ કે તે પૃથ્વીકાયાદિ જીવોએ અનાદિ અનંત સંસારમાં ભ્રમણ કરતાં પૂર્વે ભાષાલબ્ધિ પ્રાપ્ત નથી કરી એમ નહિ, કિંતુ કરી છે, માટે તે જીવો સમ્યકત્વાદિ પડેલા જીવો કરતાં અનંતગુણા જાણવા. ૨૭૬૪ થી ૨૭૬૬. હવે સેઢિ “સંઘમામો સુત્તિ” એ પદની વ્યાખ્યા કરે છે : संवट्टियचउरस्सीकयस्स लोगस्स सत्त रज्जूओ । सेढी तदसंखेज्जइभागो समए सुयं लहइ ॥२७६७॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy