SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪]. નિષ્ટન તથા ઉદ્વર્તનકાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ (३९९) तिरिएसु अणुवट्टे तिगं चउक्कं सियाउउव्वट्टे । मणुएसु अणुब्बट्टे चउरो वि तियं सियाउबट्टे ॥२७४७॥८२६।। (४००) देवेसु अणुव्बट्टे दुग तिग चउरो सिया उ उबट्टे । उव्वट्टमाणओपुण सब्बो वि किंचि पडिवज्जे ॥२७४८॥८२७॥ દ્રવ્યથી અને ભાવથી નિર્જરા કરનાર જીવ ચારમાંથી કોઈ પણ એક સામાયિક પામે છે. નરકમાંથી નહિ નીકળેલો બે સામાયિક પામે છે, અને તેમાંથી નીકળેલો ત્રણ અથવા ચાર સામાયિક પામે છે દ્રવ્યને સામાન્યથી સર્વ કર્મ અને વિશેષથી તદાવરણીય કર્મની નિર્જરા કરનાર, તથા ભાવથી ક્રોધાદિનો ત્યાગ કરનાર ચારે સામાયિક પામે છે. તિર્યંચમાંથી નહિ નીકળેલાને ત્રણ સામાયિક હોય અને નીકળેલાને કદાચિત ચાર સામાયિક પણ હોય. મનુષ્યમાંથી નહીં નીકળેલાને ચાર સામાયિક હોય અને નીકળેલાને કદાચિત્ બે અથવા ત્રણ સામાયિક પણ હોય. દેવમાંથી નહીં નીકળેલાને બે સામાયિક હોય અને નીકળેલાને કદાચિત્ ત્રણ અથવા ચાર સામાયિક હોય. પણ ચારે ગતિમાંથી નીકળતા (અપાન્તરાલગતિમાં) કોઈ પણ જીવ એકે સામાયિક પામે નહિ. ૨૭૪૫ થી ૨૭૪૮. વિવેચન :- દ્રવ્યથી સામાન્યપણે સર્વ કર્મપ્રદેશોની તથા વિશેષથી ચતુર્વિધ સામાયિકને આવરનાર જ્ઞાનાવરણ-મોહનીય રૂપ કર્મપ્રદેશોની નિર્જરા કરનાર, તેમજ ભાવથી ક્રોધાદિ અધ્યવસાયોને દૂર કરનાર ચારમાંથી કોઈ પણ એક સામાયિક પામે છે અને પૂર્વપ્રતિપન્ન તો હોય છે જ. અનંતાનુબંધી કર્મના ઉદયે કોઈ પણ સામાયિક પ્રાપ્ત થતું નથી, શેષકર્મની અપેક્ષાએ તો ઉભય પ્રકારે સામાયિક હોય છે. નરકમાં રહેલો જીવ પ્રથમનાં બે સામાયિક પામે છે અને પૂર્વપ્રતિપન્ન પણ હોય છે. નારકીમાંથી નીકળીને તિર્યંચમાં ઉત્પન્ન થયેલો જીવ સર્વવિરતિ સિવાય ત્રણ સામાયિક પામે છે, અને મનુષ્યમાં ઉત્પન્ન થયો હોય, તો ચારે સામાયિક પામે છે, પૂર્વપ્રતિપન્ન તો હોય છે જ. ગર્ભજતિર્યંચગતિમાં રહેલો જીવ, સર્વવિરતિ વિના શેષ ત્રણ સામાયિક પામે છે, અને પૂર્વપ્રતિપન્ન પણ હોય છે, તિર્યંચમાંથી નીકળીને મનુષ્યમાં આવેલો જીવ કદાચિત્ ચાર-ત્રણ અથવા બે સામાયિક પણ પામે છે અને પૂર્વપ્રતિપન્ન તો હોય છે જ. મનુષ્ય ગતિમાં રહેલો જીવ ચારે સામાયિક પામે છે અને પૂર્વપ્રતિપન્ન પણ હોય છે. મનુષ્યમાંથી નીકળીને દેવ-નારકીમાં ઉત્પન્ન થયેલો જીવ પ્રથમનાં બે સામાયિક ઉભય પ્રકારે પામે છે. તિર્યંચમાં ઉત્પન્ન થયો હોય તો સર્વવિરતિ વિના બન્ને પ્રકારે ત્રણ સામાયિક પામે છે. દેવગતિમાં રહેલો જીવ પ્રથમનાં બે સામાયિક પામે છે, દેવમાંથી નીકળીને તિર્યંચમાં આવેલો સર્વવિરતિ સિવાય ત્રણ સામાયિક બન્ને પ્રકારે પામે છે, અને મનુષ્યમાં આવેલો ચાર સામાયિક બન્ને પ્રકારે પામે છે. પરંતુ ચારે ગતિમાંથી નીકળતાં અપાન્તરાલ ગતિની અંદર, કોઈ પણ જીવ, કોઈ સામાયિક પામતો નથી. પણ પૂર્વપ્રતિપન્ન બે સામાયિક તો હોય છે. ર૭૪૫ થી ૨૭૪૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy