SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ ગૌતમ ગણધરનો વાદ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ છે. આ રીતે આગમો પરસ્પર વિરૂદ્ધ મત બતાવનારા હોવાથી આગમપ્રમાણથી પણ આત્માની વિદ્યમાનતા સિદ્ધ થતી નથી. આ ત્રણ પ્રત્યક્ષ-અનુમાન-અને આગમપ્રમાણ વૈશેષિક દર્શનની અપેક્ષાએ કહ્યાં છે, એ સિવાય ઉપમાનપ્રમાણથી પણ આત્મા સિદ્ધ નથી થતો, કારણ કે “જેવી ગાય, તેવું ગવય (રોઝ)” ઇત્યાદિ દૂર રહેલા પદાર્થમાં સાદશ્યપણાની બુદ્ધિને ઉપમાનપ્રમાણ ઉત્પન્ન કરે છે, અહીં ત્રિભુવનમાં પણ આત્મા સમાન અન્ય પદાર્થ નથી, કે જે પદાર્થને જોવાથી તેના સમાન આત્મા છે એવી પ્રતીતિ થાય. કાળ-આકાશ-દિશા વિગેરે આત્માની સમાન છે, એમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે, કારણ કે એ પદાર્થોની માન્યતા જ વિવાદગ્રસ્ત છે, એટલે તે તેના જેવાં છે, એમ કેમ કહી શકાય ? વળી એવો કોઇ પદાર્થ જોએલો કે સાંભળેલો નથી, કે જે આત્મા વિના ઘટી ન શકે, જેથી આત્માની સિદ્ધિ થાય, માટે આત્મા સર્વપ્રમાણના વિષયથી બહાર છે, એમ તારી માન્યતા છે, કારણ કે પદાર્થનું અસ્તિત્વ સિદ્ધ કરનાર એવા પાંચે પ્રમાણના વિષય રહિત આત્મા હોવાથી પદાર્થનો અભાવ સિદ્ધ કરનાર છઠ્ઠા અભાવ નામના પ્રમાણનો એ વિષય છે. એટલે કે આત્મા નથી. ૧૫૪૯ થી ૧૫૫૩. ઉપરોક્ત પ્રથમ ગણધરની આત્મા સંબંધી શંકાનું સમાધાન ભગવાન મહાવીરના મુખે શ્રીમાન્ આચાર્યશ્રી કરે છે. गोयम ! पच्चक्खु च्चिय जीवो जं संसयाइविन्नाणं । पच्चक्खं च न सज्झं जह सुह- दुक्खा सदेहम्मि ।। १५५४ ।। Jain Education International कयवं करेमि काहं वाहमहं पच्चया इमाउ य । अप्पा स पच्चक्खो तिकालकज्जोवएसाओ ।। १५५५।। कह पडिवण्णमहं ति य किमत्थि नत्थि त्ति संसओ कह णु ? | सइ संसयम्मि वायं कस्साहंपच्चओ जुत्तो ? ।।१५५६ ।। जड़ नत्थि संसइ च्चिय किमत्थि नत्थि त्ति संसओ कस्स ? | संसइए व सरुवे गोयम ! किमसंसयं होज्जा ? ।।१५५७ ॥ ગૌતમ ! આત્મા તને પણ પ્રત્યક્ષ છે, કેમકે તે સિવાય તને આ સંશયાદિ વિજ્ઞાન થાય નહિ. માટે જેમ પોતાના શરીરમાં અનુભવસિદ્ધ સુખ-દુઃખો અન્ય પ્રમાણથી સધાતા નથી, તેમ પ્રત્યક્ષ સિદ્ધ આત્મા પણ (અન્યપ્રમાણથી) સિદ્ધ કરાતો નથી. અથવા “મેં કર્યું, હું કરું છું - હું કરીશ.' ઇત્યાદિ ત્રિકાળવિષયી કાર્યના ઉપદેશ વડે એમાંના “હું” પ્રત્યયથી તે આત્મા પ્રત્યક્ષ છે. “હું છું” એમ કેવી રીતે માન્યું ? એમ કહેવામાં આવે, તો ‘હું છું ? કે નથી ?' એવો સંશય કેવી રીતે થાય ? અને એવો સંશય થાય, તો આ “હું છું' એવો પ્રત્યય કોને થાય ? અને જો સંશયી જ ન હોય, તો “હું છું કે નહિ ?'' એવો સંશય કોને થાય ? માટે ગૌતમ ! સ્વરૂપમાં સંશય હોય, તો બીજું સંશય રહિત શું હોય ? ૧૫૫૪ થી ૧૫૫૭. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy