SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪' એવંભૂતનયની વ્યાખ્યા ને પ્રરૂપણ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨. તો ઘટાદિકના સ્વસ્વરૂપની જેમ તે દેશ તે દેશીથી ભિન્ન નહિ, પણ તદાત્મક જ ગણાય. આ જ કારણથી નીલકમળાદિકની જેમ વિશેષણ-વિશેષ્યભૂત સર્વ પદોનો કર્મધારય સમાસ જ ઘટે છે, કોઈકનો તંદુ સમાસ પણ ઘટે છે, પરંતુ રાજાનો પુરુષ તે રાજપુરુષ. એવો જે ષષ્ઠી સમાસ તે આ નયને માન્ય નથી, કેમકે ભિન્ન વસ્તુનો અન્યોન્ય સંબંધ થઈ શકે નહિ. જેમ કે બે જોડાયેલ વસ્તુનો જે સંબંધ છે, તે સંબંધ તે વસ્તુથી ભિન્ન છે, કે અભિન્ન છે ? જો ભિન્ન હોય, તો તે જોડાયેલ બે વસ્તુથી સંબંધ એ ત્રીજી સ્વતંત્ર વસ્તુ હોવી જોઈએ પણ તે સ્વતંત્ર વસ્તુ રૂપ સંબંધ ન થાય, એટલે ષષ્ઠી સમાસાદિ કેવી રીતે થઈ શકે? જેમ વિધ્ય અને હિમવાન આદિથી ભિન્ન એવા ઘટાદિકનો સંબંધ કહેવાતો નથી, તેમ તેનો પણ સંબંધ કહેવાય નહિ. એટલે તેમને પણ ષષ્ઠી વિભક્તિ આદિ ઘટે નહિ. અને જો બે જોડાયેલ વસ્તુથી સંબંધ અભિન્ન હોય, તો તે ષષ્ઠયાદિ વિભકિતનો હેતુ ન થાય, કેમકે તે સંબંધ જોડાયેલ વસ્તુથી સ્વરૂપની જેમ અભિન્ન છે. ઈત્યાદિ અહીં ઘણું કહી શકાય એમ છે, પણ ગ્રંથ વિસ્તારના ભયથી કહેતા નથી, જિજ્ઞાસુએ તે અન્ય ગ્રંથોમાંથી જોઈ લેવું. વળી ઘટ કરે તે ઘટકાર(કુંભાર) એવી પ્રરૂપણા કરતાં, તે તે ઘટાકારની ઘટ કરવાની ક્રિયા તેનાથી અવ્યતિરિક્ત છે, એટલે કે કર્તાને વિષે જ ક્રિયાનો સંબંધ છે, પણ કર્તાથી વ્યતિરિક્ત ઘટને વિષે તે ક્રિયાનો સંબંધ નથી, એમ આ નય માને છે, કારણ કે જો કર્તા સંબંધી ક્રિયાનો સંબંધ ઘટરૂપ કર્મમાં પણ માનવામાં આવે, તો વસ્તુના પર્યાયની પરસ્પર એકતાદિ દોષોની પ્રાપ્તિ થાય અને તેથી જે કુંભકારાદિ જે ક્રિયાવિશેષ વડે જે કુંભ આદિને કરે છે, તે ક્રિયાવિશેષ વડે તે ક્રિયા સ્વરૂપે સર્વ કર્તા-કર્મ વગેરે અભિન્ન થઈ જાય માટે કર્યા સંબંધી ક્રિયાનો સંબંધ કર્મમાં ન માનવો. એમ આ સમભિરૂઢનય માને છે. રર૪૫ થી રર૫૦. હવે એવંભૂતનયની વ્યાખ્યા અને માન્યતા કહે છે. एवं जह सद्दत्थो संतो भूओ तदन्नहाऽभूओ । तेणेवंभूयनओ सद्दत्थपरो विसेसेणं ॥२२५१॥ वंजणमत्थेणत्थं च वंजणेणोभयं विसेसेइ । जह धडसई चेट्ठावया तहा तंपि तेणेव ॥२२५२।। सहवसादभिधेयं तप्पच्चयओ पईव-कुम्भो ब्व । संसय-विवज्जए-गत्त-संकराइप्पसंगो वा ॥२२५३॥ જે પ્રમાણે શબ્દાર્થ હોય, તે પ્રમાણે જ નામ હોય, તો તે અર્થ વિદ્યમાન છે, પણ તેથી અન્યથા અર્થ હોય, તો તે અવિદ્યમાન છે. આ કારણથી એવંભૂતનય વિશેષ કરીને શબ્દાર્થમાં તત્પર છે. વ્યંજનને (શબ્દને) અર્થવડે અને અર્થને વ્યંજન વડે એમ ઉભયને આ નય વિશેષિત (નિયત) કરે છે; ઘટ શબ્દને ચેષ્ટાવાન અર્થ વડે અને તે ચેષ્ટારૂપ અર્થને તે શબ્દ વડે નિયત કરે છે પ્રદીપ અને કુંભની જેમ શબ્દના વશથી અભિધેયનો પ્રત્યય થાય છે, અન્યથા સંશયવિપર્યય-એકત્વ-અને સંકરાદિ દોષોની પ્રાપ્તિ થાય. રર૫૧ થી રરપ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy