SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦] અગિયારમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ શાતા વેદનીયરૂપ પુન્ય-ફળ લોકમાં સુખ કહેવાય છે, તે દુઃખરૂપ જ છે, તે હમણાં જ ઉપર કહ્યું છે; અને અશાતાવેદનીયરૂપ પાપનું ફળ તે તો નિર્વિવાદ દુઃખ જ છે, એટલે કે પુન્ય અને પાપ ઉભયનું ફળ સંસારમાં દુઃખ જ છે, પણ સુખ નથી, એવું દુઃખ સિદ્ધાત્માઓને સર્વથા નાશ પામ્યું છે, તેથી તેમને સ્વાભાવિક, નિરૂપમ, અનંત સુખ છે અને સંસારી જીવોને આધારભૂત શરીર અને ઈન્દ્રિયો હોવાથી ઉપર કહ્યા મુજબ દુઃખ જ છે. વાસ્તવિક સુખ તો શરીર અને ઈન્દ્રિયોનો અભાવ થાય ત્યારે જ પ્રાપ્ત થાય છે. અથવા જે સંસારને જ ઈચ્છનાર, પરમાર્થને નહિ જોનાર, વિષયાભિલાષી, મોહમૂઢાત્મા પ્રાણી હોય છે, તે શરીર અને ઈન્દ્રિયજન્ય સુખને સુખ માને છે, પણ મોક્ષ સુખને સુખ નથી માનતા, કેમકે તેવા સુખની તેને સ્વપ્રમાં પણ કલ્પના નથી હોતી, તેવા જીવોને પ્રમાણથી મોક્ષની પ્રતીતિ કરાવ્યા છતાં “મુકતાત્મા શરીર અને ઈન્દ્રિયરહિત હોવાથી સુખ રહિત છે” એમ તેવાઓના પક્ષમાં દોષ આવે, પણ જે સંસારાતીત, સર્વથા વિલક્ષણ, ધર્માન્તરભૂત, અનુપમ, અક્ષય, નિરૂપચરિત મોક્ષ સુખને જ સુખ કહેતા હોય, એવા અમારા જેવાઓના કથનમાં એ દોષ નથી આવતો. ૨૦૧૧-૨૦૧૨. મુક્તાત્માનું જ્ઞાન અને સુખ અનિત્ય નથી, પણ નિત્ય છે. कहमणुमेयंति मई नाणा -ऽणाबाहउत्ति नणु भणियं । तदणिच्चं गाणंपि य चेयणधम्मोत्ति रागो व्व || २०१३ || कयगाइभावओ वा नावरणा-ऽऽबाहकारणाभावा । પ્પાય-કિફ-માસ્સહાવો વા ન દોસોયં ૨૦૧૪ (“મુક્તાત્મા સુખી છે' એમ) ક્યા અનુમાનથી માનવું ? એમ પૂછવામાં આવે, તો “જ્ઞાની અને નિરાબાધ હોવાથી (તે સુખી છે.'') એમ પૂર્વે કહેલું જ છે. જો એમ હોય, તો જ્ઞાન અને સુખ ચેતનાનો ધર્મ હોવાથી રાગની જેમ અનિત્ય છે, અથવા તે કૃતક હોવાથી અનિત્ય છે. (એમ કહેવામાં આવે તો) આવરણ અને દુઃખના કારણના હેતુનો અભાવ હોવાથી, મુક્તાત્માને જ્ઞાન અને સુખ અનિત્ય નથી, અથવા સર્વ પદાર્થ ઉત્પાદ-વ્યય-અને ધ્રુવ સ્વરૂપ હોવાથી તે દોષ અહીં નથી લાગતો. ૨૦૧૩-૨૦૧૪. પ્રભાસ :- સિદ્ધના જીવો સુખી છે, એમ આપ કહો છો, તે ક્યા પ્રમાણથી આપ કહો છો ? જો અનુમાનથી કહેતા હો, તો તે અનુમાન ક્યું છે ? ભગવંત :- પ્રભાસ ! કેમ ભૂલી જાય છે ? હમણાં જ કહ્યું છે તે પ્રમાણે જેમ “સિદ્ધના જીવો જ્ઞાની અને નિરાબાધ હોવાથી મુનિની જેમ અત્યંત સુખી છે." Jain Education International પ્રભાસ :- જો આપ એમ કહેતા હો, તો તે ઉપરથી એમ સિદ્ધ થાય છે કે મુક્તાત્માનાં સુખ અને જ્ઞાન ચેતનનો ધર્મ હોવાથી, રાગની જેમ અનિત્ય છે, અથવા એ સુખ અને જ્ઞાન તપ વિગેરે કષ્ટકારી અનુષ્ઠાનથી ઉત્પન્ન થતા હોવાથી. તેમજ તે ઘટની જેમ ઉત્પન્ન કરાતાં હોવાથી અનિત્ય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy