SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬] નવમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ હવે ત્રીજા અને ચોથા પક્ષમાં દૂષણ બતાવે છે. एवं चिय विवरीयं जोएज्जा सव्वपावपक्रोऽवि । न य साहारणरूवं कम्मं तक्कारणाभावा ।।१९३४।। कम्मं जोगनिमित्तं सुभोऽसुभो वा स एगसमयम्मि । होज्ज न उभयरूवो कम्मपि तओ तयणुरूवं ॥१९३५॥ કેવળ પાપપક્ષમાં પણ એ જ પ્રમાણે વિપરીતપણે યોજના કરવી, અને પુન્ય-પાપાત્મક સાધારણ એવું કર્મ તો છે જ નહીં, કેમકે તેવા કર્મનો કોઈ હેતુ નથી. યોગવડે કર્મ થાય છે, ને તે યોગ એક સમયે શુભ અથવા અશુભ જ હોય છે. પણ શુભા-શુભ એટલે ઉભયરૂપ નથી હોતો, તેથી કર્મ પણ તદનુરૂપ શુભ અથવા અશુભ જ બંધાય છે. પણ શુભ અશુભ ઉભયરૂપ બંધાય નહિં. ૧૯૩૪-૧૯૩૫ પાપના અપચયમાત્રથી જ સુખ થાય છે, માટે કેવળ પાપ જ છે, પુન્ય નથી; આવા ત્રીજા પક્ષમાં પણ એકાંત પુન્યના અસ્તિત્વવાળા પક્ષમાં કહેલા દૂષણો વિપરીતપણે યોજવાં, જેમકેપાપના અપચય માત્રથી જ સુખ નથી થતું, કેમકે થોડું પણ પાપ દુઃખ ઉત્પન્ન કરે છે. જેમ થોડું પણ વિષ સ્વાથ્યનો હેતુ નથી થતું, તેમ પાપાપચયથી થોડું પણ પાપ સુખનો હેતુ નથી થતું, પરંતુ જે થોડું પણ સુખ થાય છે, તે પુન્યથી જ થાય છે. આ પ્રમાણે સુખ-દુઃખના કારણભૂત પુન્ય-પાપ જુદા જુદા સ્વતંત્ર છે, આ જ કારણથી એ સંમિલિત-સાધારણ એટલે એક પુચપાપાત્મક કર્મ પણ નથી, કેમકે વંધ્યાપુત્રની જેમ એવા કર્મના બંધનું કોઈ કારણ જ નથી. મિથ્યાત્વ અવિરતિ-કષાય-પ્રમાદ-ને યોગ, એ બંધના હેતુઓ છે. એમાં યોગ સિવાય તો કદીપણ કર્મનો બંધ થતો નથી, એટલે મુખ્યત્વે યોગ જ કર્મ બંધનો મુખ્ય હેતુ છે, તે યોગ મન-વચન-અને કાયા રૂપ ત્રણ પ્રકારે છે. એ યોગ એક સમયે શુભ અથવા અશુભ હોય, પણ શુભાશુભ-ઉભય સ્વરૂપ ન હોય તેથી પુન્ય-પાપાત્મક એટલે ઉભયસ્વભાવવાળું સંકીર્ણ એવું કર્મ પણ ન હોય, કેમકે કારણના અનુરૂપ કાર્ય હોય છે, તેથી જ્યારે શુભયોગ વર્તતો હોય ત્યારે તદનુરૂપ પુન્યાત્મક શુભ કર્મ બંધાય અને જ્યારે અશુભ યોગ વર્તતો હોય, ત્યારે તદનુરૂપ પાપાત્મક અશુભ કર્મ બંધાય, પણ મિશ્રરૂપે યોગ ન હોવાથી કર્મબંધ મિશ્રરૂપે થાય જ નહિં. ૧૯૩૪-૧૯૩૫. એક સમયે શુભાશુભ રૂ૫ મિશ્રયોગ ન હોય, તે વાત ઉદાહરણથી સમજાવે છે. नणु मण-वड़ काओगा सुभासुभावि समयम्मि दीसंति । दव्वम्मि मीसभावो भवेज्ज न उ भावकरणम्मि ॥१९३६॥ झाणं सुभमसुभं वा न उ मीसं जं च झाणविरमेऽवि । लेसा सुभाऽसुभा वा सुभमसुभं वा तओ कम्मं ॥१९३७।। पुब्बगहियं च कम्मं परिणामवसेण मीसयं नेज्जा। इयरेयरभावं वा सम्मा-मिच्छाई न उ गहणे ॥१९३८॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy