SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૪૫ ભાષાંતર] નવમા ગણધરનો વાદ. પ્રશ્ન :- (જો એમ હોય) તો કર્મનાં કાર્ય જે શરીર વિગેરે તે મૂર્ત હોવાથી કર્મ શું મૂર્ત છે ? અથવા સુખ-દુઃખાદિ જીવના પરિણામભૂત કર્મના કાર્યો અમૂર્ત જણાતાં હોવાથી તેના કારણરૂપ કર્મ અમૂર્ણ છે ? આ પ્રમાણે મૂર્ત અને અમૂર્ત ઉભય પ્રકારે કાર્ય જણાતાં હોવાથી કર્મ રૂપી છે કે અરૂપી છે ? ઉત્તર :- સુખ વિગેરેનું કારણ એકલું કર્મ જ નથી. પરંતુ તે સાથે જીવ પણ તેમાં સમવાય કારણ છે, અને કર્મ તો અસમવાય કારણ છે. (મતલબ કે સુખાદિ અમૂર્ત હોવાથી તેનું સમવાય કારણ જીવ અમૂર્ત છે અને કર્મ અસમાયિ કારણ હોવાથી અમૂર્ત નથી.) એ પ્રમાણે સુખદુઃખના કારણભૂત કર્મ રૂપી છે-એમ સિદ્ધ થવાથી પુચના અપકર્ષમાત્રથી જ દુઃખની બહુલતા(પ્રથમ વિકલ્પમાં પૂર્વે) કહી છે, તે અયુક્ત છે. કારણ કે જેમ સુખના પ્રકર્ષનો અનુભવ પુન્યના પ્રકર્ષથી થાય છે, તેમ તે (દુઃખનો અનુભવ) પણ સ્વાનુરૂપ (પાપ) કર્મના પ્રકર્ષથી જ થાય છે. તથા કેવળ પુન્યના અપકર્ષમાત્રથી જ જીવોને દુઃખની બહુલતા નથી થતી, કેમકે ત્યાં બાહ્ય અનિષ્ટ સાધનના પ્રકર્ષનો સદ્ભાવ છે. જો એમ ન હોય, તો તેમાં વિપરીત એવા બાહ્ય સાધનના બળની અપેક્ષા ન રહે. વળી જેમ પુન્યોત્કર્ષમાં શ્રેષ્ઠ શરીર થાય છે તેમ આ અશુભ મોટું શરીર મૂર્તિમાનું હોવાથી કેવળ પુન્યના અપચય માત્રથી જ નથી થતું, જો એમ હોય, તો તે અત્યંત હીન થવું જોઈએ, અશુભ અને ઘણું મોટું કેવી રીતે થાય? ૧૯૨૮-૧૯૩૩. કેવળ પુન્યના અપચય માત્રથી જ જીવોને દુઃખની બહુલતા નથી થતી, પસ્તુ તે સાથે અનિષ્ટ આહારાદિ બાહ્ય સાધનોના પ્રકર્ષનો પણ અભાવ છે. જો એ પ્રમાણે બાહ્ય સાધનોનો સર્ભાવ ન હોય અને એકલા પુન્યના અપચયમાત્રથી જ દુઃખ થતું હોય, તો પુન્યથી પ્રાપ્ત થતા ઈષ્ટ આહારના અપચય માત્રથી જ તે થવું જોઈએ. પણ પાપોપચયથી પ્રાપ્ત થતા અનિષ્ટ આહારાદિરૂપ વિપરીત બાહ્યસાધનોના સામર્થ્યના પ્રકર્ષની અપેક્ષા રહેવી ન જોઈએ. મતલબ કે જો પુન્યના અપકર્ષમાત્રથી જ દુઃખ થતું હોય, તો પુન્યોદયથી પ્રાપ્ત થતા ઈષ્ટ આહારાદિ સાધનના અપકર્ષમાત્રથી જ તે થવું જોઈએ, પણ તેમ થતું નથી, ત્યાં તો ઈષ્ટથી વિપરીત એવા પ્રાપ્ત થયેલ અનિષ્ટ આહારાદિ સાધનના સામર્થ્યથી જ દુઃખ થાય છે. વળી જેમ પુન્યોત્કર્ષમાં તજ્જન્ય અનુત્તરવાસી દેવ અને ચક્રવર્તીનું શરીર મૂર્તિમાનું હોવાથી પુચના અપચય માત્રથી જ નથી કરાયું; તેમ કોઈ દુઃખી હાથી વિગેરેનું શરીર પણ મૂર્તિમાનું હોવાથી કેવળ પુન્યના અપચયમાત્રથી જ નથી કરાયું. કેમકે જો કેવળ પુન્યના અપચય માત્રથી કરાયેલું હોય, તે મૂર્તિમાનું નથી હોતું અને કેવળ પુન્યના અપચય માત્રથી જ જો શરીર થતું હોય, તો તે અતિહીન અને શુભ જ થવું જોઈએ, ઘણું મોટું અને અતિ અશુભ કેવી રીતે થાય? કારણ કે મોટું શુભ શરીર તો પુન્યના ઉપચયથી થાય અને અશુભ પાપોપચયથી થાય, વળી થોડા પુન્યવડે પણ શરીર શુભ જ એટલે સુખવાળું જ થવું જોઈએ પણ દુઃખી ન થવું જોઈએ કારણ કે જેમ થોડા સુવર્ણથી પણ નાનો સુવર્ણનો જ ઘડો થાય છે પણ માટીનો કે ત્રાંબાનો ઘડો નથી થતો; તેમ થોડા પુન્યથી પણ શરીર નાનું હો પણ તે શુભ જ થવું જોઈએ. ૧૯૨૮-૧૯૩૩. ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy